Karnataka Election: સિદ્ધારમૈયાના મુખ્યપ્રધાન બનવામાં વિલન બની શકે છે આ દિગ્ગજ નેતા, કોંગ્રેસ માટે બનશે માથાનો દુખાવો

Karnataka Election:કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ ભાજપ કરતાં આગળ ચાલી રહી છે. તે 117 સીટો પર આગળ ચાલી રહી છે. તેણે બહુમતીનો આંકડો (113) વટાવી દીધો છે. ભાજપ 78 સીટો પર આગળ છે.

Karnataka Election: સિદ્ધારમૈયાના મુખ્યપ્રધાન બનવામાં વિલન બની શકે છે આ દિગ્ગજ નેતા, કોંગ્રેસ માટે બનશે માથાનો દુખાવો

Karnataka Election: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ ભાજપ પર આગળ છે. તે 117 સીટો પર આગળ ચાલી રહી છે. તેણે બહુમતીનો આંકડો (113) વટાવી દીધો છે. ભાજપ 78 સીટો પર આગળ છે. જેડીએસ 25  અને અન્ય 6 સીટો પર આગળ છે. જો આ વલણો પરિણામોમાં ફેરવાશે તો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે.

સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસમાં હવે સૌથી મોટો સવાલ એ થશે કે મુખ્યમંત્રી કોણ બનશે. બે નેતાઓ રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. આ પદ માટે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે.

'કોંગ્રેસે ક્યારેય મુખ્યમંત્રીના દાવેદારની નથી કરી ચર્ચા
કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે, પાર્ટીએ તેના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી નથી. મહત્વનું એ છે કે કોંગ્રેસે ખાસ કરીને કર્ણાટકમાં ક્યારેય મુખ્યમંત્રી રજૂ કર્યા નથી. ચૂંટાયેલા ધારાસભ્યો નક્કી કરશે અને પોતાનો અભિપ્રાય આપશે. ત્યારબાદ હાઈકમાન્ડ નિર્ણય લેશે.

તેમણે કહ્યું કે, સિદ્ધારમૈયા સૌથી વધુ વરિષ્ઠ નેતા છે અને તેમની પાસે સરકાર ચલાવવાનો અનુભવ છે. ડીકેએસ પડકાર ફેંકશે. અંતિમ નિર્ણય 'હાઈ કમાન્ડ'નો રહેશે. ડીકેએસ સોનિયા ગાંધીને સાંભળે છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને છ વખતના ધારાસભ્ય ડીકે શિવકુમાર (ડીકેએસ)એ મુખ્યમંત્રી પદ માટે લાંબા સમયથી રાહ જોઈ છે. અત્યાર સુધી ડીકેએસનું ધ્યાન કોંગ્રેસને કેવી રીતે સત્તામાં લાવી શકાય તેના પર હતું. હવે કોંગ્રેસ જીતી રહી છે તો ડીકેએસને નારાજ કરવાનું કોંગ્રેસને પોષાય તેમ નથી. હાલમાં કોંગ્રેસ અઢી વર્ષની ફોર્મ્યુલા પર આગળ વધે તેવી સંભાવના છે.

સીએમને લઇને 'યુદ્ધ', સિદ્ધારમૈયાના પુત્રએ કરી આ માંગ
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની ચાલી રહેલી મતગણતરી વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્ર સિદ્ધારમૈયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કર્ણાટકના હિતમાં મારા પિતાને મુખ્યમંત્રી બનવું જોઈએ.

ટ્રેન્ડમાં કોણ આગળ અને કોણ પાછળ?
તાજેતરના ટ્રેંડ અનુસાર કોંગ્રેસ બહુમતનો આંકડો પાર કરી ગઈ છે. ભાજપ ખૂબ પાછળ છે. હાલમાં ભાજપ 80 સીટો પર આગળ છે, કોંગ્રેસ 114 સીટો પર આગળ છે, જેડીએસ 24 સીટો પર આગળ છે. તે જ સમયે, 2 સીટો અન્યના ખાતામાં જતી જોવા મળી રહી છે.

JDS સાથે ગઠબંધન પર બીજેપી નેતાઓએ શું કહ્યું?
બોમ્મઈ સરકારના મંત્રી આર અશોકે કહ્યું કે પાર્ટી પાસે એક યોજના છે. અમારી પાસે એક યોજના છે. અમે કર્ણાટકમાં બે વાર આવું કર્યું છે. ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં જનતા દળ (સેક્યુલર) કિંગમેકર બનવાની સંભાવના અંગે અશોકે કહ્યું કે આમ કરવું કે નહીં કરવાનો નિર્ણય કેન્દ્રીય ભાજપ નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. વોક્કાલિગા સમુદાય સાથે જોડાયેલા આર અશોક બેંગલુરુના પદ્મનાભનગર મતવિસ્તારમાંથી ચોથી વખત જીત મેળવવા ઈચ્છી રહ્યા છે. તેઓ કનકપુરામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સામે પણ ચૂંટણી લડી રહ્યા છે.

એક્ઝિટ પોલની વાત કરીએ તો ત્રિશંકુ જનાદેશ સાથે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ આર અશોકે કહ્યું કે તેમનો પ્લાન બી અલગ છે. પાર્ટીને ઉતાવળ નથી. તે પરિણામ જોયા પછી જ કોઈ નિર્ણય લેશે. જો કે, તેમણે આ યોજના વિશે વધુ ખુલાસો કર્યો ન હતો અને કહ્યું હતું કે રાજકારણ અને યુદ્ધમાં કોઈ તેમની તમામ વ્યૂહરચનાઓને ખુલ્લેઆમ કહેતું નથી. તેણે આ વખતે કહ્યું કે "ટ્રોફી અમારી છે".

કર્ણાટકના મહેસૂલ મંત્રી આર અશોકનો દાવો:  "ટ્રોફી અમારી છે".
એક્ઝિટ પોલની વાત કરીએ તો ત્રિશંકુ જનાદેશ સાથે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ આર અશોકે કહ્યું કે તેમનો પ્લાન બી અલગ છે. પાર્ટીને ઉતાવળ નથી. તે પરિણામ જોયા પછી જ કોઈ નિર્ણય લેશે. જો કે, તેમણે આ યોજના વિશે વધુ ખુલાસો કર્યો ન હતો અને કહ્યું હતું કે રાજકારણ અને યુદ્ધમાં કોઈ તેમની તમામ વ્યૂહરચનાઓને ખુલ્લેઆમ કહેતું નથી. તેણે આ વખતે કહ્યું કે "ટ્રોફી અમારી છે".

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news