પિક્ચર અભી બાકી હૈ દોસ્ત...શું કોંગ્રેસ અને જેડીએસ બદલી દેશે આખી ગેમ? પરિણામ પહેલાં મિલાવ્યો હાથ

Karnataka Assembly election result: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 ના પરિણામ આવવાનું શરૂ થઇ ગયું છે. કર્ણાટકના શરૂઆતી ટ્રેંડમાં કોંગ્રેસ ચાલી રહી છે. જોકે ભાજપ પણ આકરી ટક્કર આપતી જોવા મળી રહી છે. 

પિક્ચર અભી બાકી હૈ દોસ્ત...શું કોંગ્રેસ અને જેડીએસ બદલી દેશે આખી ગેમ? પરિણામ પહેલાં મિલાવ્યો હાથ

Karnataka Election Results 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે, શરૂઆતના ટ્રેન્ડમાં ચિત્ર સતત બદલાઈ રહ્યું છે. આ દરમિયાન હવે બીજેપી નેતા સદાનંદ ગૌડાએ મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે કોઈ પણ અંતિમ ફેંસલો આપવો ખૂબ ઉતાવળ રહેશે. ત્રણથી ચાર રાઉન્ડ બાદ ચિત્ર સ્પષ્ટ થશે. તેમણે કહ્યું કે દરેક તબક્કે સખત લડાઈ છે કારણ કે અમારા વિપક્ષી દળો (જેડીએસ અને કોંગ્રેસ)એ હાથ મિલાવ્યા છે. 

જો એક્ઝિટ પોલનું માનીએ તો કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષ બહુમતીનો આંકડો પાર કરી શકશે નહીં. જેડીયુએ શુક્રવારે (મે 10), મતોની ગણતરીના એક દિવસ પહેલા દાવો કર્યો હતો કે સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ બંનેએ ચૂંટણી પછીના ગઠબંધન માટે તેમનો સંપર્ક કર્યો હતો. એવું માનવામાં આવે છે કે જેડીયુ આ વખતે કર્ણાટકમાં કિંગમેકરની ભૂમિકા ભજવવા જઈ રહી છે.

ટ્રેન્ડમાં કોણ આગળ અને કોણ પાછળ?
તાજેતરના ટ્રેંડ અનુસાર કોંગ્રેસ બહુમતનો આંકડો પાર કરી ગઈ છે. ભાજપ ખૂબ પાછળ છે. હાલમાં ભાજપ 80 સીટો પર આગળ છે, કોંગ્રેસ 114 સીટો પર આગળ છે, જેડીએસ 24 સીટો પર આગળ છે. તે જ સમયે, 2 સીટો અન્યના ખાતામાં જતી જોવા મળી રહી છે.

JDS સાથે ગઠબંધન પર બીજેપી નેતાઓએ શું કહ્યું?
બોમ્મઈ સરકારના મંત્રી આર અશોકે કહ્યું કે પાર્ટી પાસે એક યોજના છે. અમારી પાસે એક યોજના છે. અમે કર્ણાટકમાં બે વાર આવું કર્યું છે. ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં જનતા દળ (સેક્યુલર) કિંગમેકર બનવાની સંભાવના અંગે અશોકે કહ્યું કે આમ કરવું કે નહીં કરવાનો નિર્ણય કેન્દ્રીય ભાજપ નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. વોક્કાલિગા સમુદાય સાથે જોડાયેલા આર અશોક બેંગલુરુના પદ્મનાભનગર મતવિસ્તારમાંથી ચોથી વખત જીત મેળવવા ઈચ્છી રહ્યા છે. તેઓ કનકપુરામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સામે પણ ચૂંટણી લડી રહ્યા છે.

એક્ઝિટ પોલની વાત કરીએ તો ત્રિશંકુ જનાદેશ સાથે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ આર અશોકે કહ્યું કે તેમનો પ્લાન બી અલગ છે. પાર્ટીને ઉતાવળ નથી. તે પરિણામ જોયા પછી જ કોઈ નિર્ણય લેશે. જો કે, તેમણે આ યોજના વિશે વધુ ખુલાસો કર્યો ન હતો અને કહ્યું હતું કે રાજકારણ અને યુદ્ધમાં કોઈ તેમની તમામ વ્યૂહરચનાઓને ખુલ્લેઆમ કહેતું નથી. તેણે આ વખતે કહ્યું કે "ટ્રોફી અમારી છે".

કર્ણાટકના મહેસૂલ મંત્રી આર અશોકનો દાવો:  "ટ્રોફી અમારી છે".
એક્ઝિટ પોલની વાત કરીએ તો ત્રિશંકુ જનાદેશ સાથે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ આર અશોકે કહ્યું કે તેમનો પ્લાન બી અલગ છે. પાર્ટીને ઉતાવળ નથી. તે પરિણામ જોયા પછી જ કોઈ નિર્ણય લેશે. જો કે, તેમણે આ યોજના વિશે વધુ ખુલાસો કર્યો ન હતો અને કહ્યું હતું કે રાજકારણ અને યુદ્ધમાં કોઈ તેમની તમામ વ્યૂહરચનાઓને ખુલ્લેઆમ કહેતું નથી. તેણે આ વખતે કહ્યું કે "ટ્રોફી અમારી છે".

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news