Diabetes Day: શું તમને પણ કસરત કરવાની આદત નથી? તો ડાયાબિટીસથી થતા મોતના આંકડા તમને ચોંકાવી દેશે

ભારત દેશ એક એવી બીમારીની ઝપેટમાં છે, જે આપણે જાતે જ ક્રિએટ કરેલી છે. પ્રદૂષણની જેમ ડાયાબિટીસ (Diabetes) પણ મેનમેડ ડિઝાસ્ટર છે. ભારતમાં નોંધાયેલ મોતના કારણોમાં 1990 સુધી ક્યાંય ડાયાબિટીસ સામેલ ન હતું. જોકે, ડાયાબિટીસના દર્દીઓ તો ત્યારે પણ ભારતમાં હતા, પરંતુ 2019 સુધી પહોંચતા 29 વર્ષોમાં ડાયાબિટીસ (World Diabetes Day) ભારતમાં 7માં નંબરનું મોતનું કારણ બની ગયું છે. ભારતમાં દર વર્ષએ 10 લાખથી વધુ લોકો ડાયાબિટીસના શિકારને કારણે મોત મેળવે છે. ભારતીયોની કસરત (LifeStyle) ન કરવાની આદત તેઓને ડાયાબિટીસના દર્દી બનાવી રહ્યું છે.

Diabetes Day: શું તમને પણ કસરત કરવાની આદત નથી? તો ડાયાબિટીસથી થતા મોતના આંકડા તમને ચોંકાવી દેશે

અમદાવાદ :ભારત દેશ એક એવી બીમારીની ઝપેટમાં છે, જે આપણે જાતે જ ક્રિએટ કરેલી છે. પ્રદૂષણની જેમ ડાયાબિટીસ (Diabetes) પણ મેનમેડ ડિઝાસ્ટર છે. ભારતમાં નોંધાયેલ મોતના કારણોમાં 1990 સુધી ક્યાંય ડાયાબિટીસ સામેલ ન હતું. જોકે, ડાયાબિટીસના દર્દીઓ તો ત્યારે પણ ભારતમાં હતા, પરંતુ 2019 સુધી પહોંચતા 29 વર્ષોમાં ડાયાબિટીસ (World Diabetes Day) ભારતમાં 7માં નંબરનું મોતનું કારણ બની ગયું છે. ભારતમાં દર વર્ષએ 10 લાખથી વધુ લોકો ડાયાબિટીસના શિકારને કારણે મોત મેળવે છે. ભારતીયોની કસરત (LifeStyle) ન કરવાની આદત તેઓને ડાયાબિટીસના દર્દી બનાવી રહ્યું છે.

તાજેતરમાં જ આવેલા એક સરવેના પરિણામ બતાવે છે કે, ભારતમાં દર વર્ષે 12માંથી એક વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી છે. ડાયાબિટીસ હાર્ટ એટેક, ડિકની ફેલ્યોર અને આંખની રોશની જવાનું કારણ બની શકે છે. જોકે, આ એક એવી બીમારી છે, જેના પર દવાથી વધુ લાઈફસ્ટાઈલ અને ડાયટમાં બદલાવની અસર થાય છે.

12માંથી એક ભારતીય ડાયાબિટીસનો દર્દી છે. ભારતમાં અંદાજે 8 કરોડ લોકો ડાયાબિટીસના શિકારમાં છે, જેમાંથી 20 ટકાથી ઓછા લોકોનું ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે. ભારતનુ લગભગ દરેક શહેર ડાયાબિટીસની ઝપેટમાં છે. લગભગ દરેક શહેરમાં ડાયાબિટીસ કાબૂની બહાર છે. 2040 સુધી 13 કરોડ લોકો તેના ઝપેટમાં છે.  

Childrens Day : બાળકોના વ્હાલા ચાચા નહેરુનો બાળપણનો પોપટ સાથેનો આ કિસ્સો છે લાઈફટાઈમ મેમરી

જો પરિસ્થિતિ આવી જ રહેશેતો ભારત જલ્દી જ એક ગ્લોબલ રાજધાની બનવાનું છે. ડાયાબિટીસના મામલે ચીન બાદ ભારત બીજા નંબર છે. ભારતમાં અડધા લોકોને તો એ પણ નથી ખબ કે તેઓ ડાયાબિટીસના શિકાર છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના 2017ના આંકડા મુજબ, દુનિયાભરમાં ડાયાબિટીસના 7 કરોડથી પણ વધુ દર્દી છે, 2034 સુધી દુનિયામાં 13 કરોડથી વધુ દર્દી ડાયાબિટીસના જ હશે.

ગુજરાતમાં ઠેકઠેકાણે અવેરનેસ કાર્યક્રમો
આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ છે. આજના દિવસે ગુજરાત રાજ્યની વિવિધ ખાનગી હોસ્પિટલોએ વિના મૂલ્યે નિદાન, જાગૃતિ કેમ્પનું આયોજન કર્યું છે. વિના મૂલ્યે નાગરિકોના ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર તપાસી આપવામાં આવી રહ્યા છે. વિશ્વ ડાયાબિટીસ દિવસ વર્ષ 1991થી ઉજવવામાં આવે છે. સાયલન્ટ કિલર તરીકે જાણીતો ડાયાબિટીસ આજે મેન કિલર સાબિત થઈ રહ્યો છે. 1991 થી WHO અને IDF ડાયાબિટીસ બીમારીથી લોકો જાગૃત બને તે માટે વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવે છે. ડાયાબિટીસને કારણે લોકો હાર્ટ એટેક, સ્ટ્રોક અને અંધત્વ જેવી બીમારીના શિકાર બને છે. મહત્વની બાબત એ છે કે, ડાયાબિટીસને માત્ર કન્ટ્રોલ કરી શકાય છે તેનાથી સંપૂર્ણ મુક્તિ મેળવી શકાતી નથી. હાલના સમયમાં દર્દીઓનું હાર્ટ એટેક અને ટીબી કરતા ડાયાબિટીસના કારણે મૃત્યું થતું હોય છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news