જન્માષ્ટમી : મહેતા પરિવારે ઘરમાં ઉભું કર્યું વૃંદાવન, નાનકડું ગોકિળયું ગામ જોઈ તમારું મન મોહી જશે

ગુજરાતમાં જન્માષ્ટમી (Janmashtami) નો માહોલ જ કંઈક અલગ હોય છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયા સુધી આ પર્વની ઉજવણી થાય છે. લોકો અનોખા અંદાજમાં તેને ઉજવે છે. ત્યારે અમદાવાદના મહેતા પરિવાર છેલ્લા 45 વર્ષથી ઉજવી રહ્યું છે. આ વર્ષે વૃંદાવનની થીમ પર મહેતા પરિવારે આખું ગોકુળિયું ગામ ઉભુ કર્યું છે. તેની તસવીરો જોઈને તમારુ મન મોહી જશે.

આશ્કા જાની/અમદાવાદ :ગુજરાતમાં જન્માષ્ટમી (Janmashtami) નો માહોલ જ કંઈક અલગ હોય છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયા સુધી આ પર્વની ઉજવણી થાય છે. લોકો અનોખા અંદાજમાં તેને ઉજવે છે. ત્યારે અમદાવાદના મહેતા પરિવાર છેલ્લા 45 વર્ષથી ઉજવી રહ્યું છે. આ વર્ષે વૃંદાવનની થીમ પર મહેતા પરિવારે આખું ગોકુળિયું ગામ ઉભુ કર્યું છે. તેની તસવીરો જોઈને તમારુ મન મોહી જશે.

1/7
image

જન્માષ્ટમી (Janmashtami 2021) ના પર્વ પર મહેતા પરિવાર દ્વારા ઘરમાં જ વૃંદાવન ઊભું કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન કૃષ્ણના વિવિધ રૂપની ઝાંખી કરવાનો પ્રયાસ કરે છે. બાળ સ્વરૂપ હોય કે પછી રાધા અને ગોપીઓ સાથે લીલા હોય કે પછી માખણ ચોરી કરતા હોય એવા ભગવાનના અનેક રૂપના દર્શન તેમના આ વૃંદાવનમાં થઈ રહ્યાં છે. 

2/7
image

મહેતા પરિવારે જન્માષ્ટમી પર ગોકુળના નાગરિકોની જેમ વેષ ધારણ કર્યો છે. તેમના પરિવારના સંતાનો બાળ કૃષ્ણ બને છે. તો દીકરીઓ રાધા બને છે. આમ, તેઓ જન્માષ્ટમીની ઉજવણી કરશે.

3/7
image

દર વર્ષે અલગ અલગ થીમ પર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષે વૃંદાવન થીમ પર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. જેમાં તેઓ વૃક્ષો બચાવોનો સંદેશ પણ લોકોને આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

4/7
image

5/7
image

6/7
image

7/7
image