હવામાન વિભાગ પહેલા ચોમાસાની આગાહી કરતો પત્થર, ભીષણ ગરમીમાં પાણીનું ટીપું ક્યાંથી પડે છે આજે પણ રહસ્ય

Monsoon Prediction By Kanpur Jagannath Temple : કાનપુરમાં એક એવું મંદિર આવેલું છે, જેમાં મૂકાયેલા પત્થર પરથી ચોમાસાની આગાહ કરાય છે. ભીષણ ગરમીમાં પાણીનું ટીપું ક્યાંથી પડે છે આજે પણ રહસ્ય, વર્ષ 2024 માં પત્થર પલળ્યો છે, ચોમાસું આવતા જ આ પાણી ગાયબ થઈ જશે

1/8
image

દેશમાં અનેક એવા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે જેની ચોક્કસ ઓળખ છે. આજે અમે તમને એવા જ એક પ્રાચીન મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ચોમાસાની સચોટ આગાહી કરે છે. આ મંદિર કાનપુર શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર ઘાટમપુર પાસે બેહટા ગામમાં આવેલું છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથની મૂર્તિ ઉપરાંત અન્ય અનેક દેવતાઓની મૂર્તિઓ પણ છે. હવામાન વિભાગ દ્વારા ચોમાસાની સ્થિતિ વિશે જે રીતે માહિતી આપવામાં આવી છે. એ જ રીતે આ મંદિરના ઘુમ્મટમાંનો પથ્થર પણ ચોમાસાના આગમનનો સંકેત આપે છે. આ રહસ્ય જાણવા માટે ઘણા વૈજ્ઞાનિકો પણ અહીં આવ્યા છે અને સંશોધન પણ કર્યું, પણ આજ દિનુ સુધી તેઓ જાણી શક્યા નથી, કે ભીષણ ગરમીમા પાણીના ટીપા ક્યાંથી આવે છે. 

મંદિરના ગુંબજમાંથી ટીપાં ટપકવા લાગે છે

2/8
image

મંદિરના મહંત કેપી શુક્લાએ જણાવ્યું કે, આ મંદિર ચોમાસાના આગમનની આગાહી કરે છે. ચોમાસું શરૂ થતાની સાથે જ. એ જ રીતે, તેના ગુંબજમાંનો પથ્થર ભીનો થઈ જાય છે. આનાથી લોકોને ખબર પડે છે કે વરસાદ થવાનો છે. તેમણે કહ્યું કે, જો પાણી પથ્થર પર ટીપાંનું સ્વરૂપ લેવા લાગે છે, તો તે સામાન્ય વરસાદનો સંકેત છે. તે જ સમયે, જો પથ્થરમાંથી વધુ ટીપાં ટપકવા લાગે છે, તો સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. મહંત કહે છે કે આ વખતે પથ્થરને પરસેવો આવવા લાગ્યો છે. લગભગ એક સપ્તાહ પહેલા પત્થર પલળી ગયો છે, પરંતું તેમા અત્યાર સુધી પાણીના ટીપાં આવવાની શરૂઆત થઈ નથી. પરંતુ જેમ ચોમાસું આવી જાય છે, તેના બાદ પત્થર એકદમ સૂકો થઈ જાય છે. 

આ મંદિર ઓરિસ્સામાં સ્થિત ભગવાન જગન્નાથના મંદિર કરતાં જૂનું છે

3/8
image

મંદિરના મહંતે જણાવ્યું કે આ મંદિર ખૂબ જ પ્રાચીન અને પ્રસિદ્ધ છે. આ મંદિર ઓડિશામાં સ્થિત ભગવાન જગન્નાથના મંદિર કરતાં પણ જૂનું છે. મંદિરમાં પ્રવેશતાની સાથે જ ડાબી બાજુ સૂર્ય ભગવાનની પ્રતિમા છે. જે ખૂબ જ દુર્લભ અને પ્રાચીન છે. તે જ સમયે, મંદિરની જમણી બાજુ ભગવાન વિષ્ણુની પ્રતિમા છે. મહંતનું કહેવું છે કે આખા ઉત્તર ભારતમાં મંદિરનું મૂળ સ્વરૂપ જોવા નહીં મળે.

4/8
image

મહંતે જણાવ્યું કે, આ મંદિરમાં મૌર્ય વંશ અને ગુપ્ત વંશના પુરાવા પણ જોવા મળે છે. આ સાથે આ મંદિરમાં સિંધુ ઘાટી અને હડપ્પન સમયના નમૂના પણ મોજૂદ છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ મંદિરના નિર્માણ અને સ્થાપનાને સેંકડો વર્ષ વીતી ગયા છે. ચોમાસાની આગાહીના રહસ્યને ઉકેલવા માટે ઘણા વૈજ્ઞાનિકો પણ આ મંદિરમાં આવ્યા છે. પરંતુ, હજુ સુધી કોઈ જાણી શક્યું નથી કે ચોમાસાની આગાહીનું રહસ્ય શું છે?   

5/8
image

બોદ્ધ મઠ જેવા આકારવાળા મંદિરની દિવાલો લગભગ 14 ફીટ મોટી છે. આ દિવાલને ફરતે અદભૂત મૂર્તિઓ જડવામા આવેલી છે. આ તમામ મૂર્તિઓ પ્રાચીન છે. 

6/8
image

ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજીના હવામાનશાસ્ત્રી એસએન સુનીલ પાંડેએ જણાવ્યું હતું કે તેઓ પોતે પણ બે વાર આ મંદિરની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમના મતે, મંદિરના પથ્થરો પર ભેજને કારણે ટીપાં દેખાય છે. આ હિસાબે લોકો ચોમાસાના આગમનનો દાવો કરે છે. તેની પ્રામાણિકતા પાછળનું રહસ્ય શું છે તે વિશે તેને કંઈ ખબર નથી.  

ગ્રામજનો કહે છે આ એક ચમત્કાર

7/8
image

ઘાટમપુર બેહટા ગામના રહેવાસી કહે છે કે, મંદિરના ગુંબજમાં લગાવવામાં આવેલો પથ્થર દર વર્ષે ચોમાસાની આગાહી કરે છે, જે રીતે મંદિરના પથ્થર પર ટીપાં પડે છે. તેના પરથી ચોમાસાનો અંદાજ લગાવવામાં આવે છે. તેઓ દર વર્ષે આ ચમત્કાર જોવા મળે છે.   

8/8
image

દર વર્ષે આ મંદિરના ગુંબજમાં પથ્થરમાંથી ટીપાં ટપકવું એ કોઈ રહસ્ય નથી. દર વર્ષે આ ટીપાં દ્વારા ચોમાસાના આગમનની આગાહી કરવામાં આવે છે.