50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!

જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....

1/6
image

3 ઓક્ટોબરથી આસો નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે અને તેનું સમાપન 12 ઓક્ટોબર દશેરાના દિવસે થશે. નવરાત્રીની મહાઅષ્ટમી આ વખતે 11 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે માતા મહાગૌરીની ઉપાસના કરવામાં આવશે. જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....

મેષ રાશિ

2/6
image

મેષ રાશિવાળા માટે મહાષ્ટમી ખુબ જ શુભ ગણવામાં આવી રહી છે. આ શુભ સંયોગથી મેષ રાશિવાળાને શુભ સમાચાર મળી શકે છે. બિઝનેસ સંલગ્ન લોકોને પ્રગતિ થશે. 

કર્ક રાશિ

3/6
image

કર્ક રાશિવાળાને સારી નોકરી મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આ રાજયોગના કારણે તેમના કૌટુંબિક જીવનમાં શાંતિ રહેશે. સહકર્મીઓનો સહયોગ મળશે. 

કન્યા રાશિ

4/6
image

બિઝનેસ કરનારાઓને કામ માટે મુસાફરી કરવી પડી શકે તેમ છે. આ મુસાફરી તમારા બિઝનેસ માટે શુભ  ફળ આપનારી રહેશે. આ સમય તમારા માટે ખુબ સારો રહેશે. રોકાણના નવા રસ્તા ખુલશે.   

મીન રાશિ

5/6
image

મીન રાશિવાળાને આ દરમિયાન સમાજમાં પદ અને પ્રતિષ્ઠા મળશે. બિઝનેસ કરનારાઓ માટે સમય સારો છે અને ધનલાભ થશે. નોકરી કરનારાઓ માટે આ રાજયોગ કોઈ વરદાનથી કમ નથી. માતા રાનીના આશીર્વાદ મળશે.   

Disclaimer:

6/6
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.