PHOTO: 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ', PM મોદીએ માતૃશ્રી હીરાબાના ચરણ પખાળ્યા, ચરણ ધોઈ જળને માથે ચડાવ્યું

પીએમ નરેન્દ્ર મોદી પોતાના માતા હીરા બાના આજે શતાયુ જન્મ દિવસ નિમિત્તે ગાંધીનગરના તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા અને હીરાબાને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ  જીવનની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ હીરાબાના ચરણમાં પુત્ર સહજ ભાવે બેસીને માતૃશ્રીના ચરણ પખાલ્યા હતા. તેમજ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા.

1/4
image

માતાને મળવા તેઓ ખાલી હાથે પહોંચ્યા ન હતા. પણ ખાસ ભેટ લઈને ગયા હતા. તેમણે માતાને શાલ ભેટમાં આપી હતી. માતાના ચરણ ધોઈને આર્શીવાદ લીધા હતા. આમ, આવુ કરીને તેઓ ધન્ય થયા હતા. માતા હીરાબાનાં ચરણ ધોઈ પીએમ મોદીએ એ પાણીને પોતાના માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો.

2/4
image

પોતાની માતા વિશે પીએમ મોદીએ બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે લખ્યુ કે, મા, આ માત્ર શબ્દ નથી, પરંતુ જીવનની એ ભાવના છે, જેમાં સ્નેહ, ધૈર્ય, વિશ્વાસ અને ઘણું બધુ સમાયેલુ છે. મારી માતા, હીરા બા આજે 18 જૂનના રોજ 100 માં વર્ષે પ્રવેશ કરી રહ્યાં છે. તેમના જન્મ શતાબ્દી વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. હું મારી ખુશી અને સૌભાગ્ય વ્યક્ત કરુ છું. 

3/4
image

નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી તેમની માતા હીરાબાના 100મા જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરના રાયસણ સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. સવારે 6.30 વાગ્યે PM મોદી માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે અડધો કલાકથી વધારે સમય પોતાની માતા સાથે ગાળ્યો હતો.  

4/4
image

વડાપ્રધાનના આગમનને લઈને ગાંધીનગરમાં રાયસણ ખાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત રાયસણ ગામ તરફ નિવાસસ્થાનના રૂટ પર પણ પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.