Somnath Temple Development: PM મોદી પાર્વતી મંદિરનો કરશે શિલાન્યાસ, મંદિર પરિસરની થશે કાયાપલટ

ઝી મીડિયા બ્યૂરો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 20 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે ગુજરાતના સોમનાથ મંદિર (Somnath Temple) ખાતે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે.

1/12
image

આ પ્રોજેક્ટ અંતર્ગત સોમનાથ મંદિર પરિસર, સોમનાથ મંદિર પ્રદર્શન કેન્દ્ર (Somnath Exhibition Centre) અને જૂના સોમનાથ મંદિરનું (Old Somnath Temple) પુન:નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી પાર્વતી મંદિરનો (Parvati Temple) શિલાન્યાસ પણ કરશે.

2/12
image

સોમનાથ મંદિરને નવા વિકાસકાર્યોની ભેટ મળવા જઇ રહી છે ત્યારે પ્રભાસપાટણ ક્ષેત્રના લોકો અને ટ્રસ્ટીઓ સહિત તંત્રમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

3/12
image

શ્રાવણ મહિનામાં લોકાર્પણ છે તેવામાં સોનામા સુગંધ ભળે તેવી સ્થિતિ છે જેના પગલે મહાદેવની નગરી સોળે કળાએ ખીલી ઉઠી છે. સોમનાથ મંદિર પરિસર 47 કરોડથી વધુના ખર્ચે પ્રસાદ (Pilgrimage Rejuvenation and Spiritual, Heritage Augmentation Drive) યોજના હેઠળ વિકસાવવામાં આવશે.

4/12
image

ટુરિસ્ટ સુવિધા કેન્દ્રના પરિસરમાં વિકસિત સોમનાથ પ્રદર્શન કેન્દ્ર, જૂના સોમનાથ મંદિરના વિખરાયેલા ભાગો અને જૂના સોમનાથના નગર સ્ટાઈલના મંદિર સ્થાપત્ય ધરાવતા તેના શિલ્પોનું પ્રદર્શન દર્શાવે છે.

5/12
image

જૂના સોમનાથના પુન:નિર્માણિત મંદિર પરિસરને 3.5 કરોડના કુલ ખર્ચ સાથે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.

6/12
image

આ મંદિરને અહિલ્યાબાઈ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે ઇન્દોરના રાણી અહિલ્યાબાઈ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

7/12
image

જ્યારે તેમણે જોયું કે જૂનું મંદિર ખંડેર છે. યાત્રાળુઓની સલામતી માટે અને વિસ્તૃત ક્ષમતા સાથે સમગ્ર જૂના મંદિર સંકુલનો પુન:વિકાસ કરવામાં આવ્યો છે.

8/12
image

30 કરોડના કુલ ખર્ચ સાથે પાર્વતી મંદિરનું નિર્માણ કરવાની દરખાસ્ત છે. તેમાં સોમપુરા સલાટ સ્ટાઈલમાં મંદિર નિર્માણ, ગર્ભ ગૃહ અને નૃત્ય મંડપનો સમાવેશ થશે.

9/12
image

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી, કેન્દ્રીય પ્રવાસન મંત્રી સાથે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

10/12
image

11/12
image

12/12
image