mercury transit 2023: એક સપ્તાહ બાદ બુધ કરશે વૃષભ રાશિમાં ગોચર, આ 5 રાશિના જાતકોને જલસા

budh transit 2023: જ્યારે પણ બુધ ગ્રહ રાશિમાં ફેરફાર કરે છે, ત્યારે તેની કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર પડે છે. તેના પ્રભાવથી લોકોની બુદ્ધિ અને તર્ક ક્ષમતા મજબૂત બને છે, જેના કારણે તેઓ દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા લાગે છે.
 

mercury transit 2023: એક સપ્તાહ બાદ બુધ કરશે વૃષભ રાશિમાં ગોચર, આ 5 રાશિના જાતકોને જલસા

નવી દિલ્હીઃ Mercury transit astrology: દર મહિને ગ્રહોની ચાલ બદલાતી રહે છે. જૂન મહિનામાં પણ ઘણા મહત્વના ગ્રહોની ચાલ બદલાવાની છે. તેમાંથી એક બુધ ગ્રહ પણ છે. તે 7 જૂને સાંજે 7 કલાક 40 મિનિટ પર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. તેમનું આ રાશિ પરિવર્તન શુક્રની રાશિમાં થશે અને બંને સારા મિત્ર માનવામાં આવે છે. તેવામાં આ ગોચરને મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આ ગોચરનો 5 રાશિઓ પર અનુકૂળ પ્રભાવ પડશે અને તેને શુભ પરિણામ મળશે. તેને કરિયરમાં સફળતા હાસિલ થશે. 

બુધ ગોચરથી આ જાતકોને થશે લાભ
વૃષભ રાશિ

બુધનું આ ગોચર વૃષભ રાશિના જાતકો માટે સુખદ પરિણામ લઈને આવશે. ખાસ કરીને ધન અને કરિયરના ક્ષેત્રમાં સારા પરિણામ જોવા મળશે. નોકરીમાં સારા અવસર પ્રાપ્ત થશે. આ સમયમાં ધનલાભ થશે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગશે. આ દરમિયાન બુદ્ધિ પ્રખર થશે, જેના કારણે દરેક કામમાં સફળતા મળવા લાગશે. 

કર્ક રાશિ
બુધના આ રાશિ પરિવક્તનથી કાર્યક્ષેત્રમાં નવા અવસર પ્રાપ્ત થશે અને કેટલાક મોટા લાભ હાસિલ કરવામાં સફળ રહેશો. બિઝનેસ કરનાર માટે લોકોનો શુભ સમય રહેશે. આ દરમિયાન કારોબારમાં પ્રગતિ જોવા મળશે. દાંપત્ય જીવનમાં મધુર સંબંધ સ્થાપિત થશે અને પ્રેમ સંબંધ આગળ વધશે. 

કન્યા રાશિ
બુધનો વૃષભ રાશિમાં પ્રવેશ કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. આ સમયમાં કરિયરને લઈને શાનદાર અવસર પ્રાપ્ત થશે. નોકરીમાં જે લોકો લાંબા સમયથી તકની રાહ જોઈ રહ્યાં છે, તે અવસર આ દરમિયાન મળી શકે છે. કારોબારીને નફો થશે. આ દરમિયાન ભાગ્યનો પૂરો સાથ મળશે અને આર્થિક પ્રગતિ થશે. 

મકર રાશિ
બુધ ગોચર મકર રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. આ દરમિયાન ઈચ્છિત ફળ મળશે. ભાગ્યનો સાથ મળવાથી ધન લાભ થશે. જે લોકો ઘણા સમયથી નોકરી શોધી રહ્યાં છો તેની આ શોધ પૂરી થશે. આર્થિક મામલા માટે પણ આ ગોચર ફાયદાકારક સાબિત થશે, જૂના રોકાણથી ફાયદો થઈ શકે છે.

મીન રાશિ
બુધનું રાશિ પરિવર્તન મીન રાશિના જાતતો માટે શુભ સમાચાર લઈને આવશે. નોકરીમાં ઈચ્છિત પરિણામ મળી શકશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યાં છે, તેને ઈચ્છિત જોબ મળી શકે છે. ધન લાભ થવાની સાથે ખર્ચમાં વૃદ્ધિ જોવા મળશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news