30 વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ચૈત્ર નવરાત્રિની શરૂઆત, આ 5 રાશિના જાતકોનો માં દુર્ગા કરશે બેડો પાર

Chaitra Navratri 2024: આ વખતે 9 એપ્રિલના રોજ ચૈત્ર નવરાત્રિ 5 શુભ યોગમાં શરૂ થઇ રહી છે. એવામં ભક્તો પર દેવીની વિશેષ કૃપા વરસશે. જાણો ઘટસ્થાપના મુહૂર્ત, શુભ યોગ અને મહત્વપૂર્ણ જાણકારી. 

30 વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ચૈત્ર નવરાત્રિની શરૂઆત, આ 5 રાશિના જાતકોનો માં દુર્ગા કરશે બેડો પાર

​Chaitra Navratri ​2024 Auspicious Yog: ચૈત્ર નવરાત્રિના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગનો સંયોગ બની રહ્યો છે. જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. પરંતુ 5 રાશિઓ એવી છે જેના પર સકારાત્મક પ્રભાવ પડશે. ચૈત્ર નવરાત્રિની શરૂઆત આ વખતે એવા અદભૂત સંયોગ વચ્ચે થશે. જ્યારે 5 રાજયોગોનો મહાસંયોગ બની રહ્યો છે. જેમાં લક્ષ્મી નારાયણ યોગ, શશ રાજયોગ, બુધાદિત્ય રાજયોગ, માલવ્ય રાજયોગ અને ગજકેસરી યોગનું નિર્માણ થઇ રહ્યું છે. 

તો બીજી તરફ નવરાત્રિમાં તમા શુભ કામ કરવામાં આવે છે, પરંતુ શરૂઆતના 5 દિવસમાં એટલે 13 એપ્રિલ સુધી ખરમાસ છે, એટલા માટે આ સમયે શુભ કાર્ય માટે અટકી જવું સારું છે. કારણ કે કાર્યની સફળતા માટે ઉતાવળ ઠીક નથી. ખરમાસમાં શુભ કાર્ય કરવાનું ટાળો, નહીંતર ખરાબ પરીણામ ભોગવવું પડી શકે છે. 

આ 5 રાશિઓ માટે શુભ ફળદાયક

કુંભ
આ રાશિના જાતકો પર માં દુર્ગાની ચૈત્ર નવરાત્રિમાં વિશેષ કૃપા પ્રાપ્ત થશે. તેમને દરેક કામમાં સફળતા મળશે. સાથે જ આ દરમિયાન અઢળક ધન આગમનના માર્ગ ખુલશે. આ સાથે જ તેમના હરમાં કોઇ નવું સહ્બ્ય આવવાની શુભ સૂચના પણ મળી શકે છે. આ ઉપરાંત બિઝનેસમાં ધન પ્રાપ્તિના શુભ યોગ બની રહ્યા છે. 

મેષ
ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ રાશિના વ્યક્તિ માટે ઘણા શુભ યોગ બનશે. આ ઉપરાંત તેઓને વ્યવસાયમાં ઇચ્છિત નફો મળશે અને સંપત્તિમાં વધારો થશે. આ સાથે તેમને ભાગ્યનો પૂરો સાથ મળશે અને તેમના દરેક કામમાં સફળતા મળશે. આ સિવાય તેઓ નવો બિઝનેસ શરૂ કરી શકે છે અને નોકરીમાં પ્રમોશન મળવાના ચાન્સ છે.

સિંહ
આ રાશિના લોકોને આ સમય દરમિયાન માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળશે. સાથે જ તમને દરેક કાર્યમાં સફળતા મળશે. ધન અને સન્માનમાં વધારો થશે. આ સાથે તેમને ભાગ્યનો સાથ મળશે. આ સિવાય નવી નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે અને બિઝનેસમાં સારો ફાયદો થઈ શકે છે.

કર્ક
આ રાશિના લોકો નવરાત્રી દરમિયાન સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશે. તેમજ ધન પ્રાપ્તિની પણ શુભ તકો છે. આ સાથે વિદેશથી વેપાર કરતા લોકોને સારો ફાયદો થશે. આ વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જશે. આ ઉપરાંત, નવરાત્રિ દરમિયાન, તેમને બાકી રહેલા પૈસા મળશે અને તેમના સમગ્ર પરિવારને માતાની કૃપા પ્રાપ્ત થશે.

વૃષભ
આ રાશિના જાતકોને ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઇચ્છિત લાભ મળશે. તેમજ આ સમયે તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે. તેમની સંપત્તિમાં વધારો થશે અને વ્યવસાયમાં સફળતાની સંભાવના છે. આ સાથે તેમના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે અને ભાગીદારી વ્યાપારથી તેમને લાભ થશે. આ સિવાય તેઓ માતા ભગવતીના આશીર્વાદથી પોતાની પસંદગીનો જીવનસાથી મેળવી શકે છે.

ચૈત્ર નવરાત્રિમાં ઘટસ્થાપનાનું મહત્વ (Chaitra Navratri Kalash Sthapana Importance)
કલશ સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને તમામ પ્રકારની શુભકામનાઓનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે કલશના મુખમાં શ્રી હરિ વિષ્ણુ સ્વયં નિવાસ કરે છે. તેમના કંઠમાં રૂદ્ર તથા મૂળમાં શ્રી બ્રહ્માજી સ્વયં બિરાજે છે અને કળશના મધ્યમાં તમામ શક્તિઓ બિરાજે છે. 

કળશ સ્થાપનાનું મુહૂર્ત (Navratri 2024 Ghatsthapana time)
કલશ અને ઘટસ્થાપન સ્થાપિત કરીને જ આપણે માતા દુર્ગાને પૂજા માટે આમંત્રિત કરીએ છીએ. આ દિવસે ઘટસ્થાપન મુહૂર્ત સવારે 06.02 થી 10.16 સુધી છે. 9 એપ્રિલે અભિજીત મુહૂર્ત બપોરે 12:14 થી 1:05 સુધી રહેશે. આ શુભ મુહૂર્તમાં તમે કલશ અને કલશની સ્થાપના કરી શકો છો.

અખંડ જ્યોતિ આપશે સમૃદ્ધિ
આ સાથે નવરાત્રિ દરમિયાન સતત નવ દિવસ સુધી ઘીનો અખંડ દીવો પ્રગટાવવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો થાય છે અને જીવનની દરેક અડચણો આપોઆપ દૂર થવા લાગે છે.

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news