Shani Nakshatra Gochar 2023: રાહુના નક્ષત્રમાં શનિનું ગોચર, આ રાશિના જાતકોએ રહેવું સાવધાન!

Shani Nakshatra Parivartan 2023: શનિ હાલમાં રાહુના નક્ષત્ર શતભિષામાં છે જ્યાં તે 17 ઓક્ટોબર સુધી રહેશે. આ નક્ષત્રમાં શનિ હોવાના કારણે અશુભ યોગ રચાયો છે. જેથી કેટલીક રાશિના જાતકોએ આ અંગે સાવધ રહેવાની જરૂર છે.

Shani Nakshatra Gochar 2023: રાહુના નક્ષત્રમાં શનિનું ગોચર, આ રાશિના જાતકોએ રહેવું સાવધાન!

Shani Nakshatra Parivartan 2023: શનિ હાલમાં રાહુના નક્ષત્ર શતભિષામાં છે જ્યાં તે 17 ઓક્ટોબર સુધી રહેશે. આ નક્ષત્રમાં શનિ હોવાના કારણે અશુભ યોગ રચાયો છે. જેથી કેટલીક રાશિના જાતકોએ આ અંગે સાવધ રહેવાની જરૂર છે.

જ્યોતિષમાં શનિ અને રાહુ બંનેને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. આ બંનેના ચાલમાં બદલાવ ચોક્કસપણે તમામ રાશિના લોકો પર અસર કરે છે. શનિ બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ ચાલે છે જ્યારે રાહુ હંમેશા ઉલટી ચાલ ચાલે છે. રાશિ પરિવર્તન ઉપરાંત આ બંને ગ્રહોના નક્ષત્રમાં ફેરફારની પણ ઊંડી અસર પડે છે.

શનિ હાલમાં કુંભ રાશિમાં છે અને શતભિષા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આ નક્ષત્ર રાહુનું છે. 17 ઓક્ટોબર સુધી શનિ રાહુના નક્ષત્રમાં રહેશે. શતભિષા નક્ષત્રમાં હોવાને કારણે શનિ-રાહુના સંયોગથી અશુભ યોગ સર્જાયો છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિના જાતકોએ ખુબ સાવધાન રહેવાની જરૂર છે.

કન્યા
રાહુના નક્ષત્રમાં શનિના આગમનને કારણે કન્યા રાશિના લોકોને 17 ઓક્ટોબર સુધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કન્યા રાશિના જાતકોએ જ્યારે શનિ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.

કન્યા રાશિના લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ રહી શકે છે. આ રાશિના જાતકોને ધનહાનિ પણ થઈ શકે છે. આ સમય દરમિયાન તમને કોઈપણ કાર્યમાં સફળતા નહીં મળે. જેના કારણે તમારે માનસિક તણાવમાંથી પસાર થવું પડી શકે છે. તમારે બિનજરૂરી ચર્ચાથી બચવું જોઈએ.

વૃશ્ચિક
શનિ-રાહુનો સંયોગ વૃશ્ચિક રાશિના લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. આ રાશિના જાતકોને કરિયર અને બિઝનેસમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ તમારો વિવાદ થઈ શકે છે, જેના કારણે નુકસાન થઈ શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકોએ 17મી ઓક્ટોબર સુધી ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં તિરાડ આવી શકે છે. શનિની અશુભ અસરને કારણે તમે માર્ગ અકસ્માતનો શિકાર પણ બની શકો છો.

મીન
શતભિષા નક્ષત્રમાં શનિ-રાહુના સંયોગને કારણે મીન રાશિના જાતકો પર ખરાબ અસર જોવા મળી શકે છે. આ રાશિના લોકોને કોઈ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. તમારા ઘરનો કોઈ સભ્ય બીમાર પડી શકે છે.

શનિ-રાહુની અશુભ અસરને કારણે મીન રાશિના જાતકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. તમારી ફિઝુલખર્ચી પણ વધી શકે છે જેના કારણે તમે તણાવમાં આવી શકો છો. તમારા સંબંધોમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે.

આ પણ વાંચો:
દ્વારકામાં ધર્મયુદ્ધ છેડાયું : છઠ્ઠી ધજાના નિર્ણય પર બગડ્યા અબોટી બ્રાહ્મણો
ઓગસ્ટમાં બનશે ચતુર્ગ્રહી યોગ, 4 મોટા ગ્રહ આ 3 રાશિવાળાને કરાવશે છપ્પરફાડ ધનલાભ
સાચવજો..ગુજરાતમાં વધી રહ્યો છે આંખનો રોગ,સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ઉભરાઈ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news