એક એવું મંદિર જ્યાં પતિ-પત્ની સાથે પૂજા કરે તો તૂટી જાય છે સંબંધ, જાણો આ મંદિરના શ્રાપની કહાની

ભારતીય માન્યતાઓ અનુસાર જોડીઓ સ્વર્ગમાં બને છે અને ભગવાનના આશીર્વાદથી પતિ-પત્નીનો સંબંધ હંમેશા ખુશ રહે છે. આ જ કારણ છે કે તમામ પ્રકારની વિવાહ વિધિઓમાં ભગવાનની પૂજા વગેરે માટે ઘણી બધી વિધિઓ હોય છે, મંત્રોચ્ચાર ઉપરાંત અનેક પ્રકારની પૂજા પદ્ધતિઓ પણ તેમાં સામેલ છે. પરંતુ જો તમને ખબર પડે કે એક એવી જગ્યા છે જ્યાં ભગવાનની પૂજા કર્યા પછી પતિ-પત્ની અલગ થઈ જાય છે, તો કદાચ તમે પહેલા તો વિશ્વાસ નહીં કરી શકો. પણ આ વાસ્તવિકતા છે.
 

એક એવું મંદિર જ્યાં પતિ-પત્ની સાથે પૂજા કરે તો તૂટી જાય છે સંબંધ, જાણો આ મંદિરના શ્રાપની કહાની

નવી દિલ્હીઃ શિમલાના રામપુરમાં એક મંદિર છે. સમુદ્ર સપાટીથી 11 હજાર ફુટ ઉપર બનેલા આ મંદિરમાં માતા દુર્ગાની પ્રતિમા છે, જે શ્રાઈ કોટિ માતાના નામથી પણ જાણીતા છે. આ શ્રાઈ કોટિ માતા મંદિરના નામથી પ્રસિદ્ધ છે. આ મંદિરમાં પૂજા કરવી સામાન્ય વાત છે પરંતુ સ્થાનીક માન્યતાઓ અનુસાર પતિ-પત્ની અહીં એક સાથે પૂજા ન કરી શકે બાકી મા દુર્ગાના એક શ્રાપથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માન્યતાની સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. 

કથા અનુસાર જ્યારે ભગવાન શિવે પોતાના બંને પુત્રો ભગવાન કાર્તિકેય અને ગણેશને બ્રહ્માંડની પરિક્રમા કરી આવવાનું કહ્યું તો કાર્તિકેય પોતાના વાહન મયૂર પર બેસી પિતાની આજ્ઞાનું પાલન કરતા પરિક્રમા કરવા નિકળ્યા હતા. પરંતુ ગણેશજીની સામે તે પ્રશ્ન ઉભો થયો કે તેમનું વાહન ઉંદર છે અને તે એટલી ધીમી ચાલ ચાલે છે કે જો તેના પર બેસી તે બ્રહ્માંડની પરિક્રમા પર જાય તો લગભગ પોતાના ભાઈથી ઘણો સમય પસાર કરી પરત આવે.

તેવામાં ગણેશજીને એક વિચાર આવ્યો. તેમણે સાથે બેઠેલા માતા-પિતા (શિવ-પાર્વતી) ની પરિક્રમા કરી અને ભગવાન શિવને પોતાનું કાર્ય પૂરુ કરી આવવાની વાત કહી. ભગવાન શિવ દ્વારા આશ્ચર્ય વ્યક્ત કરવા પર તેમણે જણાવ્યું કે માતા-પિતાના ચરણોમાં સંપૂર્ણ બ્રહ્માંડ બિરાજમાન હોય છે, અંતઃ તેમની પરિક્રમા કરવી બ્રહ્માંડની પરિક્રમા કરવા સમાન છે. 

પુત્ર ગણેશજીની આ હોશિંયારી પર ભગવાન શિવ ખુબ પ્રસન્ન થયા હતા. પરંતુ કાર્તિકેયને પરિક્રમાથી પરત આવવામાં વધુ સમય લાગ્યો. અહીં તેમના માટે એક દુઃખદ બાબત બની, તે એ છે કે ગણેશજી તેમના કરતા નાના હતા પરંતુ તેમના આગમન પહેલા તેમના લગ્ન થઈ ગયા. પરત ફરતી વખતે જ્યારે કાર્તિકેયને આ વાતની જાણ થઈ ત્યારે તે ગુસ્સે થયા કે તેના નાના ભાઈએ તેની પહેલા લગ્ન કરી લીધા છે. તેણે પ્રતિજ્ઞા લીધી કે તે જીવનભર બ્રહ્મચર્યનું વ્રત પાળશે. આ જોઈને માતા પાર્વતી ગુસ્સે થઈ ગયા અને શ્રાપ આપ્યો કે જે પણ પરિણીત યુગલ આ સ્થાન પર સાથે પૂજા કરશે તે અલગ થઈ જશે.

આ મંદિર તે જગ્યાએ બનેલું હોવાનું માનવામાં આવે છે. ભગવાન ગણેશની પ્રતિમા તેમની પત્નીઓ સાથે અહીં બિરાજમાન છે. માતા પાર્વતીના શ્રાપથી બચવા માટે પતિ-પત્ની ક્યારેય સાથે પૂજા કરતા નથી. એક પૂજા કરી મંદિરથી બહાર આવે છે, પછી બીજી વ્યક્તિ પૂજા કરવા મંદિરમાં જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news