Moonga Gemstone: કોણે પહેરવો જોઈએ મૂંગા રત્ન? જાણી લો સાચા નિયમ, ફાયદા અને નુકસાન

Moonga Ratan: મૂંગા રત્નને અંગ્રેજીંમાં કોરલના નામથી ઓળખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર આ રત્નનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે. આ રત્નને ધારણ કરતા પહેલા કુંડલીમાં મંગળ ગ્રહની સ્થિતિ જાણવી ખૂબ જ જરૂરી છે.

Moonga Gemstone: કોણે પહેરવો જોઈએ મૂંગા રત્ન? જાણી લો સાચા નિયમ, ફાયદા અને નુકસાન

Moonga Ratan na Fayda: રત્ન શાસ્ત્રમાં વિશેષ 9 રત્નો વિશે જણાવાયું છે. દરેક રત્નનો સંબંધ કોઈના કોઈ ગ્રહ સાથે હોય છે. સંબંધિત ગ્રહ દોષોથી મુક્તિ મેળવવા માટે આ રત્નો ધારણ કરવું શુભ હોય છે. આજે અમે તમને મૂંગા રત્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ રત્નને અંગ્રેજીમાં કોરલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રત્ન મંગળ ગ્રહ સાથે સંબંધિત છે. તમને જણાવી દઈએ કે કોઈપણ રત્ન ધારણ કરતા પહેલા કુંડળીમાં ગ્રહોની સ્થિતિ જાણવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત જ્યોતિષની સલાહ પણ લેવી જોઈએ. ચાલો જાણીએ કોરલ રત્ન કોણે પહેરવો જોઈએ, રીત અને ફાયદા અને નુકસાન...

મૂંગા ધારણ કરવાના ફાયદા
- ઈચ્છિત લક્ષ્ય સુધી પહોંચવા અને સફળતા મેળવવા માટે મૂંગા રત્ન ધારણ કરવું શુભ છે.
- મેડિકલ  અને એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો કોરલ રત્ન ધારણ કરી શકે છે.
- જો કોઈ વ્યક્તિના મનમાં અજાણ્યો ડર હોય તો તેના માટે મૂંગા ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- જેને ડરામણા સપના આવે છે તેમને મૂંગા ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
- મૂંગા ગ્રહ ધારણ કરવાથી વ્યક્તિના જીવનમાંથી આળસ દૂર થાય છે.

કોણે પહેરવો જોઈએ મૂંગા રત્ન?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત કરવા માટે મૂંગા રત્ન પહેરવામાં આવે છે. મૂંગા રત્ન મેષ, વૃશ્ચિક અથવા સિંહ, ધનુ, મીન રાશિવાળા લોકોને શુભ ફળ આપે છે. તે જ સમયે, જો કુંડળીમાં મૂંગાનું સ્થાન ખૂબ વધારે હોય તો મૂંગા રત્ન પહેરી શકાય છે. 

આ લોકોએ મૂંગા રત્ન ન પહેરવું જોઈએ
રત્ન શાસ્ત્ર અનુસાર, મકર અને ધનુ રાશિના લોકોએ મૂંગા રત્ન ન પહેરવા જોઈએ. આ લોકોને અશુભ પરિણામ મળી શકે છે. ઉપરાંત, નીલમ રત્ન અને મૂંગા રત્ન સાથે ન પહેરવું જોઈએ, તે નુકસાન પહોંચાડી શકે છે. જે લોકોને મૂંગા રત્ન અનુકુળ નથી તેઓને આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

મૂંગા રત્ન ધારણ કરવાના નિયમો
-  મૂંગા રત્નને તાંબા અથવા ચાંદીની વીંટીમાં પહેરવી જોઈએ.
-  ઓછામાં ઓછી 7 થી 8 રત્તીનો મૂંગા રત્ન ધારણ કરવો શુભ હોય છે.
-  મંગળવારનો દિવસ મૂંગા રત્ન ધારણ કરવા માટે શુભ દિવસ છે.
-  મૂંગા રત્ન માત્ર રિંગ ફિંગરમાં જ પહેરવું જોઈએ.

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news