BCCIમાં મોટો ફેરફાર; જય શાહ બાદ આ વ્યક્તિ બન્યા સચિવ, 10 મહિના માટે મોટી જવાબદારી

BCCI Jay Shah Devajit Saikia: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં મોટો ફેરફાર થયો છે. બોર્ડનના સંયુક્ત સચિવ  દેવજીત સૈકિયાને જય શાહે આઈસીસી ચેરમેન બન્યા  બાદ બીસીસીઆઈના કાર્યવાહક સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.

BCCIમાં મોટો ફેરફાર; જય શાહ બાદ આ વ્યક્તિ બન્યા સચિવ, 10 મહિના માટે મોટી જવાબદારી

BCCI Jay Shah Devajit Saikia: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં  મોટો ફેરફાર થયો છે. બોર્ડના સંયુક્ત સચિવ  દેવજીત સૈકિયાને જય શાહે આઈસીસી ચેરમેન બન્યા બાદ બીસીસીઆઈના કાર્યવાહક સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. બોર્ડના અધ્યક્ષ રોજર બિન્નીએ પોતાની બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને સૈકિયાને વચગાળાના સમયગાળા માટે કાર્યકારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે.

કોણ છે દેવજીત સૈકિયા?
દેવજીત સાયકિયા આ જવાબદારી ત્યાં સુધી નિભાવશે જ્યાં સુધી બીસીસીઆઈના નિયમો અને વિનિયમો હેઠળ એક કાયમી સચિવની નિયુક્તિ ના થાય. બીસીસીઆઈના બંધારણની કલમ 7(1) (ડી) ને ટાંકીને બિન્નીએ દેવજીત સૈકિયાને સચિવીય સત્તાઓ સોંપી, જે એક પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે  અને  અસમ રાજ્યના મહાધિવક્તા પણ છે.  

Add Zee News as a Preferred Source

કયા સુધી સંભાળશે જવાબદારી?
રોજર બિન્નીએ પોતાની સંવૈધાનિક પાવરનો ઉપયોગ કરીને સૈકિયાને કાર્યવાહક સચિવ  બનાવ્યા છે. જ્યાં સુધી કાયમી સચિવની નિમણૂક ન થાય ત્યાં સુધી બીસીસીઆઈના નિયમો હેઠળ આ અસ્થાયી વ્યવસ્થા છે. એવું માનવામાં આવે છે કે સાયકિયા આવતા વર્ષે સપ્ટેમ્બર સુધી આ પદ પર ચાલુ રહેશે અને તે પછી સચિવની કાયમી નિમણૂક કરવામાં આવશે.

આઈસીસીની બેઠકમાં સામેલ છે સૈકિયા
સૈકિયા આ અઠવાડિયે દુબઈમાં આઈસીસીમી બેઠકોમાં હાજર હતા, જેમાં સંકેત મળ્યા હતા કે તેઓ ફરીવાર આ પદભાર સંભાળી શકે છે. આશા છે કે તે આગામી વર્ષ સપ્ટેમ્બર સુધી આ પદ પર બન્યા રહેશે, ત્યારબાદ ખાલી પદ પર સ્થાયી વ્યક્તિ નિયુક્ત થઈ જશે. જય શાહે 1 ડિસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

જય શાહે અનેક મોટા કામો કર્યા હતા
જય શાહે ઓક્ટોબર 2019 થી BCCI સેક્રેટરી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. BCCI સેક્રેટરી તરીકેની તેમની ભૂમિકામાં શાહે વિવિધ પાસાઓ પર કામ કર્યું હતું. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટ પર વિશેષ ભાર મૂક્યો અને મહિલા ખેલાડીઓની મેચ ફી પુરૂષ ખેલાડીઓની બરાબર કરી. શાહ કોવિડ-19 વચ્ચે IPL 2020ના આયોજનને તેમની સૌથી મોટી ઉપલબ્ધિ માને છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news