મંત્રીમંડળ News

ગાંધીનગરમાં આજે નવા મંત્રીઓની શપથવિધિ, કોને સ્થાન મળશે અને કોનુ પત્તુ કપાશે તેના પર
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના મંત્રીઓની આજે શપથવિધિ થશે. સવારે 10 વાગ્યા સુધીમાં તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટેની સૂચના અપાઈ છે. આજે બપોરે 2 વાગ્યે થશે મંત્રીમંડળ (GujaratCM) ની શપથવિધિ થશે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અપાવશે મંત્રીઓને શપથ લેવડાવશે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ જુના મંત્રીમંડળ કરતા નાનું હશે. જેમાં યુવા અને અનુભવી ચહેરાઓને સ્થાન અપાશે. જ્યારે, આ મંત્રીમંડળમાં યુવાઓને વધુ મહત્વ અપાઈ શકે છે તેવી સંભાવનાઓ પ્રબળ છે. તો OBC અને દલિત ચહેરાઓને પણ પ્રાધન્ય અપાશે. તો સાથે જ પ્રાદેશિક અને જાતિગત સમીકરણો પણ ધ્યાને લેવાશે.
Sep 15,2021, 9:08 AM IST
રૂપાણી સરકારમાં મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું, કોનું પત્તુ કપાશે અને કોણ
ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની નિમણૂક થયા બાદ મંત્રીમંડળમાં ત્રણ નવા સભ્યો લેવાશે તેવી રાજકીય ચર્ચાએ જોર પકક્યું છે. ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણની અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. મંત્રીમંડળ નિવાસસ્થાનમાં કેટલાક બંધ મકાનની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. સ્વર્ણિમ સંકુલ 2 મંત્રીઓના માટે નિબંધ ઓફિસોની સાફ-સફાઈ કરવામાં આવતા મંત્રીમંડળ વિસ્તરણની શક્યતાઓની ચર્ચાએ જોર પકડ્યું છે. માર્ગ અને મકાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંત્રીમંડળ વિસ્તારના બંધ આવાસ અને સ્વર્ણિમ સંકુલ 2 ની બંધ ઓફિસની સાફ-સફાઇ નિયમિત રીતે સપ્તાહમાં એક વાર કરવામાં આવે છે. અમને હજુ સુધી મંત્રીમંડળ વિસ્તરણ સંદર્ભે કોઈ સૂચનાઓ મળી નથી. 
Jul 23,2020, 8:18 AM IST

Trending news