નવજોત સિંહ સિદ્ધૂ News

મહાત્મા ગાંધીએ દેશને 'ગોરા'ઓથી આઝાદી અપાવી હતી : સિદ્ધૂ
પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂએ એકવાર ફરી ભાજપા અને વડાપ્રધાનમંત્રી મોદી પર નિશાન તાક્યું છે. નવજોત સિંહ સિદ્ધૂએ ઇન્દોરની એક રેલીમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી પર ટિપ્પણી કરતાં તેમના પર વિભાજનકારી રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે 'કોંગ્રેસ તે પાર્ટી છે, જેને દેશને સ્વતંત્રતા અપાવી છે. આ મહાત્મા ગાંધી મૌલાના આઝાદની પાર્ટી છે, તેમણે 'ગોરા'ઓથી આઝાદી અપાવી હતી  અને તમે ઇન્દોરવાળા હવે 'કાળા અંગ્રેજો'થી છુટકારો અપાવશે.' તેમણે કહ્યું કે 'મોદીમાં દમ હોય તો તે રોજગાર, નોટબંધી અને જીએસટી જેવા મુદ્દાઓ પર ચૂંટની લડીને બતાવે. તે લોકોને ધર્મ અને નાત-જાતના નામ પર વહેંચી રહ્યા છે અને તેના જોરે ચૂંટણી લડી રહ્યા છે.' 
May 11,2019, 10:28 AM IST

Trending news