સીએચસી News

સરકારી હોસ્પિટલોમાં અંધારામાં ‘ઇમરજન્સી સેવા’ ભગવાન ભરોસે
રાજ્યના દરેક નાગરિકને રાઉન્ડ ધ કલોક એટલે કે 24 કલાક આરોગ્યની સેવા મળે તે માટેનાં સરકારી સામુહિક કેન્દ્ર ઉપર ખરેખર શું છે પરિસ્થિતિ??? શું દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર મળે છે ખરી તે જાણવા ઝી 24 કલાક દ્વારા હાથ ધરેલ મુહિમનાં ભાગરૂપે આવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર જઈ રીયાલીટી ચેક કર્યું હતું. ત્યારે જે હકીકત સામે આવી છે તે જોઇને અને સાંભળીને તમે પણ ચોંકી જશો. સરકારે કરોડોનો ખર્ચ કરી બનાવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર આમતો તમામ પુરતી સુવિધાઓથી સજ્જ છે. પરંતુ જો દવાખાનામાં ડોક્ટર જ ન હોય તો??? આમતો સામાન્ય રીતે સામુહિક આરોગ્ય કેન્દ્ર 24 કલાક કાર્યરત અને તબીબ હાજર હોવો જોઈએ. પણ કેટલાક સામુહિક આરોગ્ય કેન્દ્ર ભગવાન ભરોસે હોય છે.
Jul 19,2019, 11:50 AM IST

Trending news