30 april news 0 News

વતન કેવી રીતે જઈશ? લોકોના મૂંઝવતા પ્રશ્ન અંગે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત
ગુજરાત સરકારની લોકડાઉનમાં મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલવા માટે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના 8 સિનિયર આઇએએસ અને આઠ આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે. ગુજરાતના શ્રમિકો અને વેપારીઓને અન્ય રાજ્યોમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતના જે લોકો બહાર છે તે લોકોને પણ લાવવા માટે આ અધિકારીઓ કામ કરશે. આ પ્રોસેસ તબક્કાવાર હાથ ધરાશે. આગામી દસ થી પંદર દિવસમાં કામગીરી પૂર્મ થશે. કોઈએ અધીર થઈને તાત્કાલિક કલેક્ટર કે મામલતદાર કચેરીએ જવાની જરૂરી છે. પોર્ટલ પર લોકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેની શરત રાખવામાં આવી છે કે, શરદી તાવ કે ઉઘરસ તથા અન્ય કોઈ ગંભીર બીમારીના લક્ષણો હોય તેઓને પરવાનગી આપવામાં આવશે નહિ, સંપૂર્ણ સ્વસ્થ હોય તેવા લોકો જ જઈ શકશે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે ગ્રૂપ દ્વારા કરવામાં આવશે. વિગતવાર માહિતી ઓનલાઈન ભરવાની રહેશે. 
Apr 30,2020, 14:21 PM IST
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે AMCએ આપ્યા 2 મોટા પોઝિટિવ સમાચાર
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદના લેટેસ્ટ પોઝિટિવ અપડેટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદમાં ગઈકાલે એસવીપી હોસ્પિટલમાંથી 14 દર્દી રિકવર થયા. સમરસ હોસ્ટેલમાંથી 34 દર્દીઓને રિકવર બાદ ડિસ્ચાર્જ અપાયા છે. આજે પણ 40 દર્દીઓને સાજા થયા બાદ ડિસ્ચાર્જ અપાશે. બીજા પોઝિટિવ સમાચાર એ છે કે, અમદાવાદ શહેરમાં કેસ ડબલિંગ રેટ ત્રણ ચાર દિવસોનો હતો. પ્રયાસો બાદ સાત આઠ દિવસ કર્યો હતો. હવે કેસ ડબલિંગ રેટ ધીરે થઈને નવ દિવસનો થઈ ગયો છે. તેને ઓછા દિવસ લઈ જવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. ત્રીજી તારીખ સુધી 11 થી 12 દિવસનો ડબલિંગ રેશિયો લાવવાનો છે. કોરોના વાયરસ બીજી ગંભીર બીમારીઓમાં કોરોના વાયરસ જીવલેણ નીવડી શકે છે. 
Apr 30,2020, 13:03 PM IST

Trending news