Aasha patel News

સાચા જનસેવક હતા ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, તેમના નિધનથી મોટી સામાજિક ખોટ પડી
મહેસાણા જિલ્લાની ઊંઝા વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ડો. આશા પટેલ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. ડેન્ગ્યુને કારણે તેમના શરીરના અન્ય અંગોને પણ નુકસાન પહોંચ્યુ હતું. અમદાવાદની ઝાડયસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન આશાબેન પટેલનું નિધન થયું છે. ઉલ્લેખનીય છેકે, આજે સવારે 10 વાગ્યા સુધી સારવાર દરમિયાન એક તબક્કે આશાબેનની તબિયત સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. ડેન્ગ્યૂના કારણે તેમના પ્લેટ્સ કાઉન્ટ ખુબ ઘટી ગયા હતાં. એજ કારણોસર તેમના લીવર અને કિડનીને માઠી અસર પહોંચી હતી. આજે અમદાવાદની ઝાડયસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બપોરે 1 વાગ્યાની આસપાસ આશાબેન પટેલનું મલ્ટી ઓર્ગન ડેમેજને કારણે નિધન થયું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારના અન્ય મંત્રીઓ અને ભાજપના નેતાઓએ ડો.આશાબેન પટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
Dec 12,2021, 13:51 PM IST

Trending news