Canada tragedy News

ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછા પર નીતિન પટેલનું મોટુ નિવેદન
અમદાવાદ ખાતે સરદારધામમા નવનિર્મિત ઈ-લાઈબ્રેરીનું ઉદ્ઘાટન પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ (Nitin Patel) ના હસ્તે કરાયુ હતું. 1000 સીટની ઈ-લાઈબ્રેરી તથા વિદ્યાર્થી દત્તક યોજના નામકરણનો ઉદ્ધાટન સમારોહમાં તેમણે કેનેડામાં માર્યા ગયેલા ગુજરાતી (Gujarati) ઓ વિશે નિવેદન આપ્યુ હતું. તેમણ કહ્યુ હતું કે, અમેરિકા (America) જેવા દેશમા જવા લાખો લોકો પ્રયાસ કરે છે. આપણા યુવાનો મોટા પ્રમાણમા અમેરિકા કેનેડા (canada) જવા પ્રયાસ કરે છે. પરંતુ કેટલાક લોકો ટુંકો રસ્તો શોધી ગેરકાયદેસર જવાનો પ્રયાસ કરે છે. સરકાર એવી તક ઉભી કરે કે લોકોને વિદેશ જવાનો મોહ ઓછો થાય. ઘણાં લોકો વર્ષોથી ગેરકાયદે વિદેશમાં રહે છે. ગેરકાયદે હોવાથી વર્ષો સુધી ત્યાં જ રહેવુ પડે છે. લોકોએ કાયદેસર રીતે જવુ જોઇએ, જેથી આવી ઘટના નિવારી શકાય.
Jan 23,2022, 15:02 PM IST

Trending news