Dr rutvij patel News

કોરોનાકાળમાં ભાજપના નેતાઓએ કરી રાજનીતિ, મીડિયા પર વિવાદિત ટ્વિટ કર્યા બાદ ડિલીટ કરીન
ભાજપના નેતાઓએ કોરોનાકાળમાં રાજનીતિ કરી. ભાજપ (BJP Gujarat) ના ધારાસભ્યો, આગેવાનો, ડેપ્યુટી મેયર સહિતે મીડિયા બાબતે કરી વિવાદીત ટિપ્પણી કરી છે. કોરોના સંકટમાં મીડિયાના કવરેજ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. ત્યારે વિવાદ વકર્યા બાદ કેટલાક નેતાઓએ ટ્વિટ ડિલીટ કર્યા હતા. ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલે (Dr Rutvij Patel) આવી ટ્વિટ કરવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ભાજપ યુવા મોરચાના પ્રમુખ, ઘાટલોડિયાના ધારાસભ્ય, ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાના ટ્વિટર અકાઉન્ટમાંથી મીડિયા પર ટ્વિટ કરવામાં આવી હતી. #StopTargetingGujarat હેશટેગ સાથે ભાજપના નેતાએ ટ્વિટ કરી હતી. જોકે, સોશિયલ મીડિયા અને મીડિયાએ ઉઠાવેલા સવાલો બાદ ભાજપ નેતાઓએ ટ્વિટ ડિલીટ કર્યા હતા. પરંતુ યુવા મોરચાના પ્રમુખ સિવાય અન્ય કોઈ નેતાઓએ દિલીગીર વ્યક્ત કરવાની દરકાર પણ લીધી ન હતી. કોરોના સંકટમાં મીડિયા પોતાની જવાબદારી અને જોખમે લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યું છે. ત્યારે લોકોના પ્રશ્નોને વાચા આપતા મીડિયા ભાજપના નેતાઓને આ બાબદ ગમી ન હતી. 
May 26,2020, 9:38 AM IST

Trending news