Inhumane atrocities News

ઢોર ચરાવતા ચરાવતાં બોર્ડર પાર કરી ગયેલા યુવકનું 12 વર્ષે પરિવાર સાથે થયું મિલન
દિનારાના ઇસ્માઇલને વિશ્ર્વાસ ન હતો જીવતો પરિવારને મળીશ; 12 વર્ષે કચ્છમાં પરિવાર સાથે મિલન થયું. ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા દિનારા ગામનો ઇસ્માઇલ સમા પશુઓ ચરાવવા ગયા બાદ પરત ફર્યો ન હતો. 2008માં ગુમ થયા બાદ પરિવારે અનેક જગ્યાએ શોધખોળ કરી પરંતુ ઇસ્માઇલ સમાનો કોઇ પત્તો લાગ્યો નહી. જો કે વર્ષો બાદ પરિવારને ખબર પડી કે ઇસ્માઇલ તો પાકિસ્તાન જેલમાં બંધ છે. 2016-17માં પરિવારને ભાળ મળ્યા બાદ પરિવારના સભ્યો અને સામાજીક આગેવાનોએ તેની મુક્તી માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. થોડા દિવસ પહેલા ઇસ્લામાબાદ કોર્ટે ઇસ્માઇલને મુક્ત કરવાના આદેશ કર્યા હતા. જો કે કાનુની પ્રક્રિયા પુર્ણ ન થઇ હોવાથી પરિવારને ઇસ્માઇલનો કબ્જો સોંપાયો ન હતો. આજે પચ્છિમ કચ્છ પોલિસે તેનો કબ્જો લઇ તેની પુછપરછ કરી હતી. અને ત્યાર બાદ પરિવારને સુપ્રત કર્યો હતો.
Jan 29,2021, 19:45 PM IST

Trending news