Jay vaswada News

નીલકંઠ વિવાદ બાદ કોણે કોણે સ્વામીનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પરત કર્યો, જાણો
મોરારી બાપુ એ નીલકંઠ મામલે કરેલ નિવેદન અંગે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી થઈ રહી હતી. જે સમગ્ર મામલે વિવાદ પણ વકર્યો હતો. જે વિવાદ મંગળવારના રોજ પૂર્ણ થયો હતો. જૂનાગઢના ઇન્દ્રભારતી આશ્રમ ખાતે બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયું હતું. પરંતુ ગુરુવારના રોજ કલાકારો એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલ સન્માનની રકમ અને એવોર્ડ પરત કર્યાની ઘટના સામે આવી છે. એક બાદ એક ખ્યાતનામ કલાકારોએ મોરારીબાપુના સમર્થનમાં એવોર્ડ પરત કરતા સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચ્યો છે. જેમાં લોકગાયક ઓસમાણ મીર, લેખક જય વસાવડા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ, હનુભી ગઢવી તથા માયાભાઈએ આહિરે સ્વામીનારાયણ સંસ્થા દ્વારા અપાયેલ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે.
Sep 13,2019, 9:42 AM IST

Trending news