Mahuva closed News

મોરારી બાપુ પર હુમલાના વિરોધમાં મહુવા સજ્જડ બંધ, પબુ ભાની માફીની માંગણી
મોરારી બાપુના સમર્થનમાં આજે મોરારી બાપુનું ગામ જે તાલુકામાં આવેલું છે તે મહુવા તાલુકો, મોરારી બાપુનાં ગામ તલગાઝરડા અને યાત્રાધામ વીરપુર સજ્જડ બંધ રહ્યા હતા. મોરારી બાપુ પર થયેલા હુમલા મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. ગઇકાલે હુમલા અંગે મહુવામાં બેઠક પણ મળી હતી. જેમાં મહુવા રાજકીય પક્ષનાં કાર્યકરો, સામાજિક સંસ્થાઓનાં આગેવાનો, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા સાધુસંતો સહિત વિચારકો હાજર રહ્યા હતા. આ બેઠક બાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બીજી તરફ વીરપુરમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એલાનનાં પગલે મહુવા અને વીરપુર બંન્ને સ્થળો પર સજ્જડ સ્વયંભુ બંધ પળાયો હતો.
Jun 20,2020, 16:57 PM IST

Trending news