Rafel deal News

ધાનમંત્રી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે SVP હોસ્પિટલ, ગ્લોબલ ટ્રેડ શૉ અને શોપિંગ ફેસ્ટિવલનું તેમના હસ્તે ઉદઘાટન થવાનું છે. અમદાવાદમાં પ્રધાનમંત્રીની સુરક્ષા અર્થે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે આશ્રમરોડથી રિવરફ્રન્ટને જોડતા તમામ માર્ગ પીએમના કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી બંધ કરવામાં આવ્યા છે. તો જો તમે આ રસ્તા પરથી નીકળવાના હોય તો ખાસ ધ્યાન રાખજો, નહિ તો અટવાશો. પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ પર ચુસ્ત બંદોબસ્ત તો છે જ, સાથે જ રિવરફ્રન્ટને જોડતા તમામ 8 રસ્તા બંધ કરાયા છે. બપોરે 1 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થવા સુધી આ તમામ રસ્તા બંધ રહેશે.
Jan 17,2019, 11:35 AM IST

Trending news