Save cows News

સૌરાષ્ટ્રના ઉદાર વલણને સાબિત કરતા મોરબીવાસીઓ, કચ્છના માલધારીઓની મદદે દોડ્ય
કચ્છ જિલ્લામાં ગત વર્ષે વરસાદ ઓછો થયો હોવાથી મોટાભાગના માલધારીઓ પોતાના ઢોરને લઈને કચ્છમાંથી બહાર નીકળી ગયા હતા અને જ્યાં પણ ચારો તેમજ પાણીની વ્યવસ્થા મળે છે, ત્યાં તે રોકાણ કરતા હોય છે. આવી જ રીતે કચ્છ જીલ્લાના આડેસરથી હિજરત કરીને નીકળી ગયેલા પરિવારો તેની 25૦ જેટલી ગાયોને લઈને મોરબી નજીકના નાની વાવડી ગામે આવ્યા હતા. તેઓએ ગ્રામજનોને ગૌ વંશ માટે ચારો તેમજ પાણીની વ્યવસ્થા કરી આપવા માટે આજીજી કરી હતી. જેથી નાની વાવડી ગામના લોકો દ્વારા નિસ્વાર્થ ભાવે માલધારીઓની ગાયો માટે પાણી અને ચારાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તેમજ આગામી ચોમાસા સુધી તેઓને માલઢોર સાથે ત્યાં સાચવવાની આ ગામના ગૌપ્રેમીઓ દ્વારા તૈયારી બતાવવામાં આવી છે.
May 13,2019, 11:29 AM IST

Trending news