Youth4modi News

સુરત : #YOUTH4MODI પરથી પીએમ મોદીને પૂછી શકશો સવાલ
 2019ની તૈયારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરુ કરી દીધી છે, ત્યારે સુરતથી તેઓ એક રીતે જોઈએ તો ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે તેવું કહી શકાય છે. આગામી ૩૦મી જાન્યુઆરીના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નયા ભારત મુદ્દે 10 હજારથી વધુ પ્રોફેશનલો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાતચીત કરશે. અમેરિકાના મેડિસન સ્ક્વેરની થીમ પર ઇન્દોર સ્ટેડિયમમાં રિવોલ્વિંગ સ્ટેજ બનાવવામાં આવશે. શહેરના ડોકટર્સ, વકીલો, ટેક્સ કન્સલ્ટન્ટ, ટેકનોક્રેટ વગેરે આ કાર્યક્રમમાં હાજર રહેશે. જોકે કાર્યક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. કાર્યક્રમને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સુરતના કલેક્ટરે ઇન્ડોર સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. 
Jan 28,2019, 12:14 PM IST

Trending news