મીઠાઈ-ફરસાણના વેપારીઓએ કુકિંગ ઓઇલની વિગતો નોટીસ બોર્ડ પર લગાવવી પડશે

તહેવાર આવતા ખાવા-પીવાની વસ્તુમાં ભેળસેળ અને ડુપ્લિકેડ વસ્તુના વેચાણની વાતો સામે આવતી રહે છે. ત્યારે તંત્ર દ્વારા આ દરમિયાન ચેકિંગ પણ હાથ ધરવામાં આવતું હોય છે. હવે ફરસાણ અને મીઠાઈમાં થતી ભેળસેળ અટકાવવા માટે રાજ્ય સરકારે એક એડવાઇઝરી બહાર પાડી છે. આ એડવાઇઝરી પ્રમાણે ફરસાણના વેપારીઓએ દુકાનની બહાર બોર્ડ લગાવી તેમાં કુકિંગ ઓઇલની વિગતો લખવાની રહેશે.

Trending news