દિલ્હી: રામલીલા મેદાનમાં કોંગ્રેસની ભારત બચાવ રેલી

કોંગ્રેસ પાર્ટી આર્થિક મંદી, કિસાન વિરોધી નીતિઓ, મહિલાઓ વિરૂદ્ધ હિંસા, બેરોજગારી અને સંવિધાન પર હુમલાને લઇને મોદી સરકાર વિરૂદ્ધ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરી રહી છે. તેમાં કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને કાર્યકર્તા સામેલ થઇ રહ્યા છે.

Trending news