દીકરા-વહુની ખુશી માટે માતાએ પોતાનું ઘર છોડી લીધો વૃદ્ધાશ્રમનો સહારો, મંજુલાબેનની કહાની સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે......
મંજુલાબેન કાળુપુરમાં તેમના પતિ દીકરી દીકરા સાથે રહેતા હતા. સામાન્ય પરિવારની જેમ તેમનું પણ હસતું ગાતું પરિવાર હતું. પરંતુ સમય બદલાતા ઘરની પરિસ્થિતિ પણ બદલાઈ. તેમની દીકરી ના લગ્ન થઈ ગયા. દસ વર્ષ પહેલા તેમના પતિનું પણ નિધન થઈ ગયું. જીવનસાથી નો સાથ છૂટ્યા બાદ મંજુલાબેન ઉપર સમસ્યાનો આભ તૂટી પડ્યો. મંજુલાબેન અને તેમની વહુ વચ્ચે વારંવાર ઘરના ઝઘડા થવા શરૂ થઈ ગયા. એક સમયે ઝઘડો એટલો બધો વધી ગયો કે ઘર કંકાસના કારણે મંજુલાબેન ના દીકરાને એટેક આવ્યો. એટેકની સારવાર બાદ ડોક્ટરે દીકરાને કોઈ સમસ્યા નં થાય તે માટેના પ્રયત્નો કરવા કહ્યા. દીકરાની આવી દશા જોઈને મંજુલા બેને ઘર છોડવાનું નક્કી કર્યું.