આતંકી હુમલાને દહેશત વચ્ચે સોમનાથની સુરક્ષા વધારાઈ, NSG કમાન્ડો પહોંચ્યા

આતંકીઓ પર થયેલી એરસ્ટ્રાઇક બાદ સોમનાથની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે દિલ્હીથી ચાર એનએસજી કમાન્ડો સોમનાથ મંદિરની સુરક્ષા માટે પહોંચ્યા હતા. સોમનાથ હેલિપેડ સહિત સમુદ્ર કિનારે અને મંદિર પરિસરની ચકાસણી કરવામાં આવી હતી. હાલ ડોગસ્ક્વોર્ડ અને બોમ્બ સ્ક્વોર્ડનો કાફલો પણ સ્થળ પર ખડકી દેવામાં આવ્યો છે.

Trending news