માંડવીમાં દીપડાનો ખોફ: 3 બાળકો પર હુમલો, પકડવા 18 પાંજરા મુકાયા

સુરતના માંડવી વિસ્તારમાં દીપડાનો ખોફ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધીમાં નરભક્ષી દીપડાએ ત્રણ બાળકો પર હુમલો કર્યો હતો. જેમાં પાતલ ગામે ત્રણ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. વનવિભાગે પાતલ ગામે 8 પાંજરા, મધરકુઈ 2, અરેઠ 2 અને વદેશીયામાં 1, વરેલી 2, કાલમોઇ ગામે 3 મળી 18 જેટલા પાંજરા ગોઠવાયા છે. દીપડાની હરકત પર નજર રાખવા નાઈટ વિઝન કેમેરા પણ મુકાયા છે.

Trending news