ખેડૂતો પર કોંગ્રેસ ઓળઘોળ, જુઓ વીડિયો

જયપુર #રાજસ્થાનમાં 7મી ડિસેમ્બરે થનાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ગુરૂવારે સવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે. જયપુર પીસીસી કાર્યાલય ખાતે ગુરૂવારે સવારે સચિન પાયલોટ, અશોક ગેહલોત સહિત અન્ય નેતાઓની હાજરીમાં આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો. સચિન પાયલોટે આ જન ઘોષણા પત્ર જાહેર કરતાં એને જનતાલક્ષી ગણાવ્યું. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં પહેલા કોંગ્રેસ દ્વારા જનતા પાસે સોશિયલ મીડિયામાં આ અંગે સુચન મંગાવાયા હતા. 

Trending news