શેરી મહોલ્લાની ખબર: નવસારીના આમધરા વિસ્તારમાં નથી પાયાની સુવિધાઓ

ઝી ૨૪ કલાકના વિશેષ કાર્યક્રમ શેરી મહોલ્લાની ખબરમાં આજે આપણે આવી પહોચ્યા છે.ચીખલી તાલુકાના આમધરા ખાતે આ ગામના લોકોની મુખ્ય સમસ્યા રસ્તાની છે.આમધરા ગામેથી કલીયારી ગામને જોડતો મુખ્ય માર્ગ પાછલા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.ત્યારે આ માર્ગ ઉપર શાળા પણ આવી છે.અને ગામમાં આવવા જવા માટે નો આજ એક મુખ્યમાર્ગ હોય જેથી આ માર્ગ બિસ્માર બનતા આ સ્થાનિકો પરેશાન થઈ ચુક્યા છે.ત્યારે આ અંગે મુખ્યમંત્રી સહિત અનેક જગ્યાએ રજુઆતો કરવામાં આવી છે.તેમછતાં કોઈ જવાબ ન આવતા સ્થાનિકો હવે આંદોલન કરવાની તૈયારી બતાવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે આમધરા ગામને બેંક ઓફ બરોડાએ દતક લઈ તેના વિકાસ કરવાની તૈયારીઓ કરી આમધરાને કેશલેશ બનાવવા તરફ પણ એક પહેલ કરી હતી.

Trending news