સુરતમાં જર્જરિત ઇમારત ધરાશાયી કરાઇ, ફાયર અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી

રાજમાર્ગ પર ટાવર નજીક ઘાંચીશેરીની બે મિલકતો વચ્ચે તિરાડ પડવાની બપોરે ઘટના બનતા ફાયર બ્રિગેડ અને સેન્ટ્રલ ઝોનના ઈજનેરોની ટીમ દોડતી થઈ ગઈ હતી. બે મિલકતમાં નુકસાન કઈ મિલકતમાં વધુ છે તે અંગે બે કલાક તપાસ કરાયા બાદ મુખ્ય રોડ પરની બે માળ વત્તા કેબિનવાળી મિલકતને ઉતારી પાડવા નિર્ણય લેવાયો હતો. રાત્રે આ મિલકતને ઉતારી પાડવાની કામગીરી શરૂ કરાઇ હતી. જોકે બપોરે ઘટના સમયે ટાવરથી પારસી શેરીવાળો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો.

Trending news