લંડનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીયો પર હુમલો કર્યો, પાકિસ્તાનનો હાથ હોવાનો આરોપ

બ્રિટનમાં રહેતા ભારતીયોને લંડનના ભારતીય દૂતાવાસ બહાર નિશાન બનાવવામાં આવ્યાં. શનિવારે દૂતાવાસની બહાર ઊભેલા ભારતીયો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો. આ દરમિયાન તેમની સાથે મારપીટ પણ કરાઈ. ખાલિસ્તાન સમર્થકોએ આ હુમલો પુલવામા આતંકી હુમલો અને બાલાકોટમાં કરાયેલી ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન વિરુદ્ધ ઉઠી રહેલા સવાલો પર બદલાની ભાવનાથી કરાયો હોવાનો આરોપ છે. 
લંડનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીયો પર હુમલો કર્યો, પાકિસ્તાનનો હાથ હોવાનો આરોપ

નવી દિલ્હી: બ્રિટનમાં રહેતા ભારતીયોને લંડનના ભારતીય દૂતાવાસ બહાર નિશાન બનાવવામાં આવ્યાં. શનિવારે દૂતાવાસની બહાર ઊભેલા ભારતીયો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો. આ દરમિયાન તેમની સાથે મારપીટ પણ કરાઈ. ખાલિસ્તાન સમર્થકોએ આ હુમલો પુલવામા આતંકી હુમલો અને બાલાકોટમાં કરાયેલી ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન વિરુદ્ધ ઉઠી રહેલા સવાલો પર બદલાની ભાવનાથી કરાયો હોવાનો આરોપ છે. 

આ સાથે જ હુમલો કરનારા ખાલિસ્તાની સમર્થકોને પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈનું પણ સમર્થન મળતું હોવાની વાત સામે આવી છે. 

શનિવાર સાંજે ભારતીય દૂતાવાસની બહાર થયેલા આ હુમલા દરમિયાન ભારતીયો સાથે મારપીટ કરાઈ. આ સાથે જ ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ કરાયો. હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાનનો ઝંડો પણ હતો. જ્યારે આ હુમલો કરાયો ત્યારે ભારતીય દૂતાવાસની બહાર લોકો પોતાની એપોઈન્ટમેન્ટની રાહ જોઈ રહ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news