Neetu Kapoor: બોલીવુડની જાણીતી એક્ટ્રેસ નીતુ કપૂરે એક ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો, કહ્યું- પતિના નિધન બાદ...

Neetu Kapoor: નીતુ કપૂરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કરતા કહ્યું કે પતિના નિધન બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવા પર લોકો તેમના ટ્રોલ કરતા હતા. જો કે, જુનિયર ડાન્સ દિવાનેની જજ બની નીતુ કપૂરે પોતાના કરિયરની નવી શરૂઆત કરી છે.

Neetu Kapoor: બોલીવુડની જાણીતી એક્ટ્રેસ નીતુ કપૂરે એક ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો, કહ્યું- પતિના નિધન બાદ...

Neetu Kapoor: બોલીવુડની જાણીતી એક્ટ્રેસ અને દિગ્ગજ એક્ટર ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાની આપબીતી વ્યક્ત કરી છે. નીતુ કપૂરે જણાવ્યું હતું કે, ઋષિ કપૂરના નિધન બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવા પર તેમને ટ્રોલ કરવામાં આવી હતી. જો કે, જુનિયર ડાન્સ દિવાનેની જજ બની નીતુ કપૂરે પોતાના કરિયરની નવી શરૂઆત કરી છે.

નીતુ કપૂર ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને તેઓ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી જોડાયલા અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતી રહે છે. ત્યારે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન નીતુ કપૂરે કહ્યું- હું સોશિયલ મીડિયા પર એટલા માટે એક્ટિવ રહું છું કેમ કે મને તે ખુબજ ગમે છે. હું મારા ફોલોઅર્સને પ્રેમ કરું છું. મેં માત્ર તે લોકોને બ્લોક કર્યા છે, જે મને ટ્રોલ કરી રહ્યા હતા.

હું બ્લોક કરી દઉ છું. કેમ કે તે લોકોનું કહેવું છે કે, પતિ મરી ગયો છે અને તે એન્જોય કરી રહી છે. તે લોકો મને એક વિધવાની જેમ રડતી જોવા માંગે છે, પરંતુ હું આવા લોકોને બ્લોક કરી દઉ છું. મેં કહ્યું કે હું આવી છું અને આવી જ રહીશ. નીતુ કપૂરે વધુમાં જણાવ્યું હતું કે, હું આ રીતે જ ઠીક થઈ જઈશ. કેટલાક લોકો રડીને સ્વસ્થ થાય છે, તો કેટલાક લોકો હસીને. હું મારા પતિને ભુલી શકતી નથી. તેઓ હંમેશા મારી અને મારા બાળકો સાથે છે.

એટલું જ નહીં જ્યારે અમે લોકો સાથે જમવા બેસીએ છીએ ત્યારે મોટાભાગે અમે તેમની જ વાતો કરતા હોઈએ છીએ. આ રીતે અમે તેમને મિસ કરીએ છીએ. રણબીરના ફોનના સ્ક્રીનસેવર પર આજે પણ તેમનો ફોટો છે. અમે તેમને આ રીતે મિસ કરીએ છીએ. પરંતુ અમે તેમને યાદ કરીને દુ:ખી નથી થતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news