'કેદારનાથ'નો ક્લાઇમેક્સ સાંબળી રહી પડ્યા હતા સુશાંત, લેખિકાએ સંભળાવ્યો કિસ્સો

કનિકાએ જણાવ્યું કે વર્ષ 2018માં આવેલી ફિલ 'કેદારનાથ'નો અંત સાંભળીને રડી પડ્યા હતા. લેખિકાએ ટ્વીટ કરી આ વિશે પુરી જાણકારી શેર કરી.

'કેદારનાથ'નો ક્લાઇમેક્સ સાંબળી રહી પડ્યા હતા સુશાંત, લેખિકાએ સંભળાવ્યો કિસ્સો

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત અભિનીત ફિલ્મ 'કેદારનાથ' (Kedarnath) ની સ્ક્રિપ્ટની સહ-લેખિકા કનિકા ઢિલ્લોએ બુધવારે સુશાંત સાથે જોડાયેલો એક જૂનો કિસ્સો યાદ કર્યો. કનિકાએ જણાવ્યું કે વર્ષ 2018માં આવેલી ફિલ 'કેદારનાથ'નો અંત સાંભળીને રડી પડ્યા હતા. લેખિકાએ ટ્વીટ કરી આ વિશે પુરી જાણકારી શેર કરી.

કનિકાએ ટ્વીટ કરી લખ્યું 'તમારા માટે મંસૂર પાત્ર લખવું ખૂબ ખાસ હતું. તમે તેને સમર્પણ સાથે ભજવ્યું. જ્યારે હું તમને પહેલીવાર 'કેદારનાથ'ના અંત વિશે જણાવ્યું હતું, તમે રડી પડ્યા હતા. મંસૂરના અંતિમ દ્વશ્યના સ્માયે આપણા હોઠ પર એક દર્દભર્યું હાસ્ય હતું અને દિલમાં ભરપૂર પ્રેમ હતો.' ફિલ્મમાં સુશાંતે મંસૂરનું નામનું પાત્ર ભજવ્યું હતું, જેને સારા અલી ખાને ભજવેલા મંદાકિનીના પાત્ર સાથે પ્રેમ હતો. 

— Kanika Dhillon (@KanikaDhillon) September 23, 2020

કનિકા આગળ લખે છે 'તમે બધાને રડાવી દીધા. તમને યાદ કરવાની સૌથી સારી રીત એક કલાકાર તરીકે તમે કરેલા કામોને યાદ કરવા. પોતાની આ પોસ્ટ સાથે કનિકાએ એક ફોટો શેર કર્યો છે. જેમાં સુશાંત આ પાત્રની તૈયારીના ક્રમમાં ટ્રેડમિલ પર બાલૂ બોરે સાથે ટ્રેનિંગ કરતા જોવા મળી રહ્યા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news