Dayaben Return: દયાબેનની વાપસીની અસમંજસતા વચ્ચે TMKOC ના પ્રોડ્યુસર અસિત મોદીએ કર્યો મોટો ખુલાસો

Taarak Mehta Ka Ooltah Chashmah: સુપરહિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીએ દયાબેનની ભૂમિકા નિભાવી ખુબ પ્રશંસા મેળવી છે. જો કે, તેઓ વર્ષ 2018 થી આ શોમાંથી ગાયબ છે.

Dayaben Return: દયાબેનની વાપસીની અસમંજસતા વચ્ચે TMKOC ના પ્રોડ્યુસર અસિત મોદીએ કર્યો મોટો ખુલાસો

Dayaben Return in TMKOC: ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત વર્ષ 2008 માં થઈ હતી. ત્યારથી લઇને આજ સુધી આ શો દર્શકોનો પ્રિય કોમેડી શો રહ્યો છે. શોમાં દયાબેનની ભૂમિકા નિભાવનાર એક્ટ્રેસ દિશા વાકાણી વર્ષ 2018 થી શોમાંથી ગાયબ છે. ખરેખરમા તે માતા બનવાથી બ્રેક પર છે. પરંતુ ફેન્સ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશાની વાપસીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી લોકો આશા લગાવી રહ્યા છે કે, ટૂંક સમયમાં શોમાં દયાબેનની એન્ટ્રી થશે. હાલમાં શોના એક પ્રોમો સામે આવ્યો હતો જેમાં ઇશારો કરવામાં આવ્યો હતો કે, દયાબેન પાછા આવી રહ્યા છે. ત્યારબાદથી સોશિયલ મીડિયા પર ઘણા લોકો કહી રહ્યા છે કે શોના મેકર્સ તેમને મુર્ખ બનાવી રહ્યા છે. આ પહેલા શોના નિર્માતા અસિત મોદીએ દયાબેનની શોમાં વાપસીનો ઇશારો કરતા કહ્યું હતું કે, આ રોલ દિશા વાકાણીની સાથે અથવા તેમના વગર શોમાં વાપસી કરશે.

અસિત કુમાર મોદીએ તોડ્યું મૌન
જ્યારથી દિશા મેટરનિટી બ્રેક પર ગઈ છે ત્યારથી શોના મેકર્સ તેમની વાપસીની રાહ જોઈ રહ્યા છે. એવામાં હવે અસિત કુમાર મોદીએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, દિશા વાકાણીની શોમાં વાપસી સંભવ નથી લાગતી તેથી તેઓ દયાબેનના રોલ માટે નવા ચહેરાનું ઓડિશન કરી રહ્યા છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jethalal (@teamjethalal)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું- હવે આ સ્ટોરીનો મામલો છે. અમે બધુ જ બરોબર કરી રહ્યા છીએ, પરંતુ તેમાં થોડો સમય લાગશે. હું માનું છું કે, લોકો અમને ગાળો આપી રહ્યા છે. કેમ કે, લોકો શો સાથે ઇમોશનલી કનેક્ટેડ છે. હું તે લોકો વિશે વિચારું છું જે ઓનલાઇન કોમેન્ટ કરે છે. અમે તેમના વિચારોનું સન્માન કરીએ છીએ. દયાભાભી આવશે. જો કે, અમે ઇચ્છીએ છે કે દિશા વાકાણી જ દાયા તરીકે વાપસી કરે, પરંતુ અમે આ રોલ માટે ઓડિશન પણ કરી રહ્યા છીએ.

દિશા વાકાણીને લઇને અસિત મોદીએ કરી વાત
અસિત કુમાર મોદીએ કહ્યું- જો તે શોમાં વાપસી કરે છે, તો ઘણું સારું રહેશે કેમ કે, તે પરિવારની જેમ છે, પરંતુ તેમની વાપસી સંભવ દેખાઈ રહી નથી. એટલા માટે અમે દયાબેનના રોલ માટે ઓડિશન કરી રહ્યા છીએ. એક પ્રોડ્યુસર નિર્માતા તરીકે હું ઇચ્છું છું કે દયાબેન પાછા આવી જાય, આવનારા થોડા મહિનામાં દયા ભાભી પણ દેખાશે. દયાબેન રાતોરાત વાપસી કરી શકતા નથી. અમે તેમની જબરદસ્ત રી-એન્ટ્રી કરવી પડશે કેમ કે તે લાંબા સમયથી ગાયબ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news