જીવની જેમ સાચવે છે સલમાન ખાન પોતાનું બ્રેસલેટ, સાતવાર બદલવો પડ્યો પથ્થર, કારણ જાણવા જુઓ Video

સલમાન ખાન પોતાના જન્મદિનના એક દિવસ પહેલા મોટી આફતમાંથી હેમખેમ પાર નીકળ્યો છે. અભિનેતાને સાપ કરડી ગયો હતો. જો કે સલમાન ખાનને કોઈ નુકસાન થયું નહીં.

જીવની જેમ સાચવે છે સલમાન ખાન પોતાનું બ્રેસલેટ, સાતવાર બદલવો પડ્યો પથ્થર, કારણ જાણવા જુઓ Video

નવી દિલ્હી: સલમાન ખાન પોતાના જન્મદિનના એક દિવસ પહેલા મોટી આફતમાંથી હેમખેમ પાર નીકળ્યો છે. અભિનેતાને સાપ કરડી ગયો હતો. જો કે સલમાન ખાનને કોઈ નુકસાન થયું નહીં. આ પહેલા પણ અભિનેતા તેના પર આવનારી તમામ મુસીબતોમાંથી હેમખેમ પાર ઉતર્યો છે. હવે આ કોઈ ચમત્કાર છે કે પછી કોઈની દુઆ એ તો ખબર નથી પરંતુ દરેક વખતે સલમાન ખાનના હાથમાં એક ખાસ બ્રેસલેટ ચોક્કસપણે જોવા મળેલુ છે. 

સલમાન ખાન આ બ્રેસલેટ વગર ભાગ્યે જ જોવા મળે છે. તેણે એકવાર તેના એક ફેનને આ બ્રેસલેટની ખાસિયત વિશે જણાવ્યું હતું. સલમાન ખાને કહ્યું હતું કે 'મારા પપ્પા તે પહેરતા હતા. તે સમયે હું આ બ્રેસલેટ સાથે રમતો હતો. પછી જ્યારે કામ કરવા લાગ્યો તો તેમણે મને પણ બિલકુલ એવું જ બ્રેસલેટ અપાવ્યું. આ પથ્થરને ફિરોઝા કહે છે.'

કેમ પહેરે છે બ્રેસલેટ?
આગળ સલમાન ખાને પોતાના બ્રેસલેટમાં લાગેલા પથ્થર વિશે જણાવ્યું. તેણે કહ્યું કે 'ફક્ત બે પ્રકારના જીવિત પથ્થર છે. જ્યારે કોઈ નેગેટિવિટી તમારી તરફ આવે છે ત્યારે આ પથ્થર તે નેગેટિવિટીને પહેલા પોતાની તરફ ખેંચે છે, તેમાં નસો  બની જાય છે અને પછી તે ક્રેક થઈ જાય છે. આ મારો સાતમો પથ્થર છે.'

જ્યારે ખોવાઈ ગયું હતું આ બ્રેસલેટ
સલમાન ખાન માટે આ બ્રેસલેટ ખુબ જ મહત્વ  ધરાવે છે. વર્ષો પહેલા પનવેલના ફાર્મ હાઉસમાં સલમાન તેના મિત્રો સાથે પાર્ટી કરતો હતો. તે વખતે આ બ્રેસલેટ ખોવાઈ ગયું હતું. સલમાનનો ચહેરો સાવ ઉતરી ગયો હતો. તે નિરાશ થઈ ગયો હતો. જો કે તેણે શાંત રહીને મિત્રો સાથે બ્રેસલેટ શોધવાનું શરૂ કર્યું. પછી અશ્મિત પટેલે સલમાનને તે બ્રેસલેટ આપ્યું હતું જે સ્વિમિંગ પુલમાં પડી ગયું હતું. બ્રેસલેટ મળતાની સાથે જ સલમાનનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news