ગુજરાતીઓ ફરીથી સાવધાન રહેજો! જોજો ક્યાંક બકરું કાઢતા ઉંટ ના પેસે, જાણો આજે શું છે કોરોનાની સ્થિતિ?

આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2294 એક્ટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 1269225 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 09 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

ગુજરાતીઓ ફરીથી સાવધાન રહેજો! જોજો ક્યાંક બકરું કાઢતા ઉંટ ના પેસે, જાણો આજે શું છે કોરોનાની સ્થિતિ?

ઝી ન્યૂઝ/અમદાવાદઃ કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ. ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં આજે નવા 372 કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 128 કેસ નોંધાયા છે. જ્યારે 388 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો 98.96 ટકા નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, એકપણ દર્દીનું મોત થયું નથી. 

દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા
આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2294 એક્ટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 1269225 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 09 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 2285 દર્દીઓની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11053 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ 3, અમદાવાદ કોર્પોરેશન 125, અમરેલી 8, આણંદ 7, બનાસકાંઠા 14, ભરૂચ 14, ભાવનગર કોર્પોરેશન 6, બોટાદ 1, ગાંધીનગર 5, ગાંધીનગર કોર્પોરેશન 3, જામનગર કોર્પોરેશન 5, ખેડા 2, કચ્છ 8, મહેસાણા 27, મોરબી 29, નર્મદા 1, નવસારી 1, પંચમહાલ 1, પાટણ 5, પોરબંદર 2, રાજકોટ 9, રાજકોટ કોર્પોરેશન 10, સાબરકાંઠા 6, સુરત 5, સુરત કોર્પોરેશન 30, સુરેન્દ્રનગર 6, વડોદરા 11, વડોદરા કોર્પોરેશન 23 અને વલસાડમાં 5 એમ કુલ 372 કેસ નોંધાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news