સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!

Vav Assembly By Election 2024 : વાવ વિધાનસભાથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે શરૂ કર્યો પ્રચાર...સમાજ સામે પાઘડી ઉતારી તેની ઈજ્જત રાખવા કરી વિનંતી..સમાજને સાથ આપી જીતાડવા સ્વરૂપજીએ કરી અપીલ...

સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!

Gulabsinh Rajput Vs Swarupji Thakor બનાસકાંઠા : વાવની પેટાચૂંટણી હવે રસપ્રદ બની રહી છે. ગત લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનનું મામેરું ચર્ચામાં આવ્યું હતું. ત્યારે વાવ વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ઠાકોર સમાજ આગળ  પોતાની પાઘડી ઉતારી હતી. સ્વરૂપજીએ પાઘડી ઉતારી સમાજને કહ્યું કે આ પાઘડીની હવે ઈજ્જત તમારે રાખવાની છે. ભાભરમાં ઠાકોર સમાજની બેઠકમાં સ્વરૂપજી ઠાકોરે સમાજને તેમને જીતાડવા અપીલ કરી. 

આજે ફોર્મ ચકાસણી
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોના ફોર્મની આજે ચકાસણી થશે. વાવ વિધાનસભામાં 20 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. કુલ 20 ઉમેદવારોએ 27 ફોર્મ ભર્યા છે, જેની આજે સુઇગામ પ્રાંત કચેરીએ ચકાસણી થશે. આજે ફોર્મ ચકાસણી દરમિયાન ખામી વાળા ફોર્મ રદ થશે. ભાજપમાં સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપુત તેમજ અપક્ષમાં માવજી પટેલ ,જામાભાઈ ચૉધરી સહિત અનેક લોકોએ અપક્ષ ફોર્મ ભર્યા છે. 30 ઓક્ટોમ્બર ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. 

અલ્પેશ ઠાકોરે કર્યો સ્વરૂપજી માટે પ્રચાર
ગત રોજ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ ભાજપ નેતા અલ્પેશ ઠાકોર ભાભર પહોંચ્યા હતા. ભાભરની ઠાકોર સમાજની વાડી ખાતે ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. વાવ વિધાનસભાના ઉમેદવાર સ્વરુપજી ઠાકોરના સમર્થનમાં અલ્પેશ ઠાકોરની બેઠક યોજાઈ હતી. ગેનીબેન ઠાકોરના ગઢ ભાભરમા અલ્પેશ ઠાકોરે પ્રચાર કર્યો હતો. 

મહત્વની વાત છે કે બનાસકાંઠામાં એક તરફ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે જેમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર સામે ભાજપના જ બે આગેવાનો પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ અને પૂર્વ તાલુકા ભાજપના મહામંત્રી જામાભાઈ ચૌધરીએ અપક્ષ દાવેદારી નોંધાવી છે. જેને લઇ આ વિધાનસભાની ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે.

ભાજપ નેતા માવજીભાઈ પટેલે અપક્ષમાંથી દાવેદારી નોંધાવતા રાજકારણ ગરમાયુ છે. માવજી પટેલ ભાજપના સિનિયર નેતા છે ,1990 માં જનતા દળની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે તે બાદ તેવો કોંગ્રેસમાં આવ્યા. જોકે 2017માં કોંગ્રેસે ટીકીટ ન આપતા તેવો નારાજ થઈને થરાદથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા. તે બાદ તેવો ભાજપમાં જોડાયા હતા. જોકે આ વખતે તેમને ભાજપે ટીકીટ ન આપતા નારાજ થઈને તેઓએ ભાજપ અને અપક્ષ બંનેમાં ઉમેદવારી નોંધાવી છે ત્યારે અત્યારે તો ભાજપ પ્રદેશ કક્ષાના નેતાઓ તેમને મનાવવા માટે મથામણ કરી રહ્યા છે. આવામાં ભાજપ નેતા યગ્નેશ દવે અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ માવજીભાઈ માની જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ઘીના ઠામમાં ઘી હશે અને માવજી પટેલ માની જશે. પરંતુ જો માવજી પટેલ વાવ વિધાનસભાની ચૂંટણી અપક્ષ માં લડે તો ભાજપ માટે કપરા ચઢાણ છે અત્યારે તો ઠાકોર મત બેંક પર નજર રાખી અને ઠાકોર સમાજના ઉમેદવારને ભાજપે ઉતાર્યો છે. પરંતુ જો માવજી પટેલ ચૂંટણી લડે તો ભાજપ માટે કપરા ચઢાણ હશે ત્યારે આ તમામ બાબતોની આજે ભાજપના નેતાઓએ સ્પષ્ટતા કરી હતી સાથે સાથે વાવ વિધાનસભામાં રોડ રસ્તા પાણી કેનાલના પ્રશ્નોને લઈને જે કામો કર્યા છે તેને લઈને આ ચૂંટણીમાં જનતા વચ્ચે જશે તેવા નિવેદનો કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news