ભાજપનો જિલ્લા પ્રમુખ છે વસૂલીખોર અને હપ્તાખોર, ભાજપના પૂર્વે મંત્રીએ સીધી મોદીને કરી ફરિયાદ

Junagadh BJP Politics : ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ જુનાગઢના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલના હોદ્દાને લઈને સવાલો ઉઠાવ્યા, તેમણે આ અંગે સીધો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો 
 

ભાજપનો જિલ્લા પ્રમુખ છે વસૂલીખોર અને હપ્તાખોર, ભાજપના પૂર્વે મંત્રીએ સીધી મોદીને કરી ફરિયાદ

Junagadh News જુનાગઢ : પૂર્વ પ્રવાસન મંત્રી અને ભાજપ નેતા જવાહર ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને જુનાગઢના એક નેતાની રજૂઆત કરી છે. તાજેતરમાં લોકસભા ચૂંટણી બાદ સાંસદ અને મંત્રી મનસુખ માંડવીયાને લઈને થયેલા વિવાદ બાદ ફરી તેમણે સીધો પ્રધાનમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. આ વખતે તેમણે જિલ્લા ભાજપના હોદ્દેદારો અંગે જાણ કરતો પત્ર લખ્યો છે. જેમા કહ્યું કે, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે. જિલ્લા પ્રમુખે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી બીજા સ્થાનો પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ તેમણે પત્રમાં કર્યો છે. સાથે જ જિલ્લા બીજેપી પ્રમુખ ત્રણ વિવિધ હોદ્દા ભોગવતા હોવાનો ઉલ્લેખ કર્યો. આ વાતની રજૂઆત કરાઈ હોવા છતાં પી એમ સુધી પહોંચી ન હોવાનો ઉલ્લેખ કર્યો.

જવાહર ચાવડાએ પત્રમાં શું લખ્યું...
આ કથા છે. જુનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની, આપણા શિસ્ત ને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વિગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારો ને સમાન રીતે લાગુ પડે છે પરંતુ જુનાગઢ આમા અપવાદ છે. જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરઉપયોગ કરીને બીજા સ્થાનોની પ્રાપ્તી કરેલ છે. એક જ સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે. 1.) જિલ્લા પ્રમુખ 2.) બેન્ક માં પ્રમુખ ૩.) માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ (સત્તાના દુરઉપયોગનું આવુ ઉદાહરણ આખા ગુજરાતમાં નહી જોવા મળે) બે જીલ્લાના ત્રણ તાલુકાઓના યાર્ડમાં પ્રમુખપદ ભોગવ્યુ. ૧. તાલાળા ૨. વિસાવદર ૩. જુનાગઢ. કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલમલોલ ચાલ્યું હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુલ ટ્રાન્કકર પણ કરી. 

 

— Jawahar Chavda (@jawaharpchavda) September 17, 2024

 

જવાહર ચાવડાએ વધુમાં જણાવ્યું કે, આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ટા છે. કેટલાક તો એકસાથે ભોગવ્યા, જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસુલી કે હફતાખોરી કરીને ચરમસીમા વટાવેલ છે. આ અંગે મેં અને અન્ય આગેવાનો ૧. કનુભાઈ ભાલાળા ૨. ઠાકરશીભાઈ જાવિયા ૩.  માધાભાઈ બોરીયા વગેરેએ વખતો વખત ફરીયાદ કરી હોવા છતા પણ આપના સમક્ષ આ વાત પહોંચી નથી. ક્યાંક કોઈ રહેમ નજર હેઠળ દબાઈ જાય છે. આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે આપ સુધી આ વાત પહોંચે, કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચું જોવુ પડે એવા કૃત્યો કર્યા છે. આમ તો આ લીસ્ટ લાંબુ છે. પરંતુ બે અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જુનાગઢની પ્રજામાં નારજગી અને રોષ છે એ જણાવું તો. ૧. જીલ્લા પ્રમુખ હોવાના તોરમાં આ માણસે ભાજપ ના કાર્યાલયનું બાંધકામ પણ નિયમોને નેવે મુકીને કરેલું છે જે આપને કદાપિ સ્વીકાર્ય નહી થાય. ૨. જુનાગઢની જનતાને અભૂતપૂર્વ પુરની આફતમાં સંડોવનાર કારણોમાં એક વોકળા પરના દબાણોમાં જનાબ શિરમોર છે. એમના દ્વારા નિર્મિત કૌષ્ના આર્કેડ એટલે, ખોટી મંજુરી, ખોટુ બાંધકામ અને કાયમી દબાણ. અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવુ ? પ્રજાનો સામનો કેમ કરવો ? આ સાથે મેં વખતો વખત કરેલ ફરીયાદો અને ૫-બિડાણ સામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news