આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરમાં, મુખ્યપ્રધાન રહેશે હાજર

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વડોદરા ખાતે ધ્વજ વંદન કરશે. 

  આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરમાં, મુખ્યપ્રધાન રહેશે હાજર

ગાંધીનગરઃ આગામી 15 ઓગસ્ટના રોજ 71માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકભાની ઉજવણી સુરેન્દ્રનગરમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહેશે. તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વડોદરા ખાતે ધ્વજ વંદન કરશે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભાવનગર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં હાજર રહેશે. આ સિવાય રાજ્ય સરકારના તમામ મંત્રીઓ જુદા-જુદા જિલ્લામાં હાજર રહેશે. બાકી તમામ જગ્યાએ જિલ્લા કલેક્ટરોની હાજરીમાં સવારે 9 કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. 

ક્યા જિલ્લા મથકોમાં કોણ કરશે ધ્વજવંદન

આર.સી.ફળદુ - અમદાવાદ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા - રાજકોટ
કૌશિકભાઈ પટેલ - સુરત
સૌરભ પટેલ - મહેસાણા
ગણપતસિંહ વસાવા - દાહોદ
જયેશભાઈ રાદડીયા - જામનગર
દિલીપ કુમાર ઠાકોર - કચ્છ
ઇશ્વરભાઇ પરમાર - ભરૂચ
કુંવરજીભાઈ બાવળીયા- અમરેલી
પ્રદિપસિંહ જાડેજા - જૂનાગઢ
પરબત પટેલ - બનાસકાંઠા
બચુભાઇ ખાબડ - પંચમહાલ
જયદ્રથસિંહજી પરમાર- ખેડા
ઇશ્વરસિંહ પટેલ - વલસાડ
વાસણ આહિર - પાટણ
વિભાવરી દવે - સાબરકાંઠા
રમણલાલ પાટકર - આણંદ
કિશોર કાનાણી - નવસારી 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news