GUJARAT CORONA UPDATE: રાજ્યમાં કોવિડ-19 ના 695 નવા કેસ, રિકવરી રેટ 96.98 ટકાએ પહોંચ્યો

રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે દરરોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 1 હજારથી નીચે પહોંચી ગઈ છે

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં કોવિડ-19 ના 695 નવા કેસ, રિકવરી રેટ 96.98 ટકાએ પહોંચ્યો

ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે દરરોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 1 હજારથી નીચે પહોંચી ગઈ છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ સતત ઘટી રહ્યો છે અને સાજા થતા દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થઈ રહ્યો છે.

ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 695 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 2,122 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,93,028 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 96.98 ટકાએ પહોંચ્યો હતો. 

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 14,724 એક્ટિવ દર્દી છે, જે પૈકી 351 લોકો વેન્ટિલેટર પર છે અને 14,373 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,93,028 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,955 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, અને વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

આ ઉપરાંત સુરતમાં 2, ભરૂચમાં 1, રાજકોટમાં 1, અમરેલીમાં 1, અને જામનગરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 11 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, 18 થી 44 વર્ષની વય જુથના યુવાનોના વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 28,73,243 લોકોએ કોવિડ વેક્સીન લઈ લીધી છે. આજે એક જ દિવસમાં 2,58,797 યુવાનોએ વેક્સીન લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news