GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 62 નવા કેસ, 194 દર્દીઓ સાજા થયા, 02 લોકોનાં મોત નિપજ્યાં

ગુજરાતમાં કોરોના વાયરસ હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. સાંજે 5 વાગ્યે 2,99,680 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.49 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 62 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યનાં 194 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,11,491 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. 
GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 62 નવા કેસ, 194 દર્દીઓ સાજા થયા, 02 લોકોનાં મોત નિપજ્યાં

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસ હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. સાંજે 5 વાગ્યે 2,99,680 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.49 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 62 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યનાં 194 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,11,491 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. 

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2333 કુલ દર્દીઓ સારવારરત્ત છે. જે પૈકી 09 લોકો વેન્ટિલેટર પર છે. 2324 લોકો સ્ટેબલ છે. 811491 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10071 લોકોના અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે 02 લોકોનાં મોત નિપજ્યાં છે. 

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 225 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રથમ ડોઝ જ્યારે 8321 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 થી વધારેની ઉંમરના 51298 લોકોને રસીનો પ્રથમ જ્યારે 85670 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. જ્યારે 18-45 વર્ષથી વધારેની ઉંમરના 148486 લોકોએ રસીનો પ્રથમ અને 5680 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આજના દિવસમાં કુલ 2,99,680 લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં ગુજરાતમાં 2,71,07,405 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news