GUJARAT CORONA UPDATE: કોરોનાએ પીક પકડી, અગાઉની બંને લહેરની તુલનાએ રેકોર્ડબ્રેક કેસ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 24,485 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,310 લોકોએ કોરોનાને માત આપી છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10199 લોકોના મૃત્યુ થયા છે. 

GUJARAT CORONA UPDATE: કોરોનાએ પીક પકડી, અગાઉની બંને લહેરની તુલનાએ રેકોર્ડબ્રેક કેસ નોંધાયા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે, જે દરરોજના કેસ પરથી ભયજનક દેખાઈ રહી છે. દરરોજ કોરોનાના કેસ નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 24,485 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,310 લોકોએ કોરોનાને માત આપી છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10199 લોકોના મૃત્યુ થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 10 લાખ અને એક્ટિવ કેસનો આંકડો 1 લાખને પાર થયો છે.

રાજ્યમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 9837, સુરત કોર્પોરેશનમાં 2981, વડોદરા કોર્પોરેશનમાં 2823, રાજકોટ કોર્પોરેશનમાં 1333, સુરતમાં 728, આણંદમાં 558, ભાવનગર કોર્પોરેશનમાં 529, ગાંધીનગર કોર્પોરેશનમાં 509, જામનગર કોર્પોરેશનમાં 470, વલસાડમાં 446, ભરૂચમાં 408, વડોદરામાં 371, મહેસાણામાં 354, કચ્છમાં 346,નવસારીમાં 297, ગાંધીનગર 225, મોરબીમાં 206, રાજકોટમાં 188, પાટણમાં 180, બનાસકાઠા 174, સુરેન્દ્રનગરમાં 156, જુનાગઢ કોર્પોરેશનમાં 129, અમરેલીમાં 128, જામનગરમાં 128, અમદાવાદમાં 120, પોરબંદરમાં 117, ખેડામાં 112, સાબરકાંઠામાં 111, પંચમહાલમાં 110, દાહોદમાં 82, તાપીમાં 70, ભાવનગરમાં 58, દેવભૂમિ દ્વારકા 45, ગીરસોમનાથ 40, જૂનાગઢ 30, મહીસાગર 24, અરવલ્લીમાં 18, બોટાદમાં 15, નર્મદા 14, ડાંગમાં 9 અને છોટાઉદેપુરમાં 5 કેસ નોંધાયા છે.

અમદાવાદના માથે 'કોરોનાની ત્રીજી ઘાત'; હજુ કડકાઈ વધશે!, DRDO ની ધન્વંતરિ હોસ્પિટલ સ્ટેન્ડ બાય

કોરોનાને લીધે 13 લોકોના મૃત્યુ
ગુજરાતમાં આજે કોરોનાને લીધે 13 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1 અને ગાંધીનગરમાં એક, ખેડામાં 1  વ્યક્તિનું મૃત્યુ થયું છે.

No description available.

આજે 24485 કેસ નોંધાતા હવે બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. હવે નવા કેસો 20 હજારને પાર થઈ ગયા છે, જેથી ત્રીજી લહેરની પીક કેટલા કેસ પર આવશે તેની કોઈ આશંકા સેવવામાં આવતી નથી. બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે આજથી 263 દિવસ અગાઉ હતાં, હવે 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. 

રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 104888 થઈ ગઈ છે. જેમાં 156 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10199 લોકોના નિધન થયા છે. કોરોનાની સારવાર બાદ 8,86,476 લોકો સાજા થઈ ચુક્યા છે. રાજ્યનો રિકવરી રેટ 88.51 ટકા છે. 

અમદાવાદમાં કોરોના બોમ્બ ફૂટતાં જ AMC દ્વારા ધડાધડ પુન: મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા

રાજ્યમાં આજે 2 લાખ 47 હજાર 111 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી 9 કરોડ 58 લાખ 29 હજાર 203 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news