Gujarat Election 2022: ગુજરાતમાં ફરી પક્ષપલટાની મોસમ ખીલી! ઘાટલોડિયામાં AAPના 200થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા

Gujarat Election 2022: ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણીમાં ઘાટલોડયા વિધાનસભામાં આપના કાર્યકર્તા ભાજપમાં જોડાયા છે. ઘાટલોડિયાના અંદાજે આપના 200 જેટલા કાર્યકરો ભાજપ ઘાટલોડિયા વિધાસભાના બેઠકના કાર્યાલય ખાતે જોડાયા છે.

Gujarat Election 2022: ગુજરાતમાં ફરી પક્ષપલટાની મોસમ ખીલી! ઘાટલોડિયામાં AAPના 200થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે હાર્દિક પટેલની ટીમના પાસના 1500થી વધુ કન્વિનરો ભાજપમાં જોડાયા હતા. તેવી જ રીતે ચૂંટણી પહેલા અમદાવાદમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ઘાટલોડિયા વિધાનસભા બેઠકમાં AAPમાં ભંગાણ થયું છે.

ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણીમાં ઘાટલોડયા વિધાનસભામાં આપના કાર્યકર્તા ભાજપમાં જોડાયા છે. ઘાટલોડિયાના અંદાજે આપના 200 જેટલા કાર્યકરો ભાજપ ઘાટલોડિયા વિધાસભાના બેઠકના કાર્યાલય ખાતે જોડાયા છે. અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તે ઘાટલોડિયામાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. 

મહત્વનું છે કે, ઘાટલોડિયામાં ભાજપના મધ્યસ્થ કાર્યલય પર કેસરિયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોથી પ્રભાવિત થઈને AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news