ભૂતને સિગારેટ પીવડાવો થઈ જાય છે કામ! ખેડૂતો કેમ પહેલો પાક આ ભૂતિયા મંદિરે ધરાવવા જાય છે?

ગુજરાતમાં અહીં લોકો દૂર દૂરથી ભૂતનો પૂજા કરવા માટે ઉમટી પડ઼ે છે. એવી પણ માન્યતા છેકે, અહીં આવનારના કામ પુરા થઈ જાય છે એટલે જ લોકો અહીં આવે છે.

ભૂતને સિગારેટ પીવડાવો થઈ જાય છે કામ! ખેડૂતો કેમ પહેલો પાક આ ભૂતિયા મંદિરે ધરાવવા જાય છે?

ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાય છેકે, શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની શું જરૂર છે...અત્યારે અહીં તો લોકોની શ્રદ્ધા એક એવી જગ્યાએ છે જ્યાં જતા પણ કદાચ તમને ડર લાગે. કારણકે, આ છે ભૂતનું મંદિર. ભૂતના મંદિરે લોકો દૂર દૂરથી પૂજા કરવા માટે આવે છે. શું તમે ક્યારેય આ મંદિરની મુલાકાત લીધી છે. દેશ વિદેશ અને ગુજરાતમાં આપણે દેવી-દેવતાઓના મંદિરો અને તેના મહાત્મ્ય વિશે સાંભળ્યુ અને અનુભવ્યું હશે, પરંતુ ભૂતનું મંદિર કે તેના મહાત્મ્ય કયાંય સાંભળ્યું…જાણો ગુજરાતમાં કયા જિલ્લામાં અને કયા ગામમાં આવેલુ છે આવું અનોખું મંદિર જ્યાં દૂર દૂરથી લોકો ઉમટે છે.

દેશ વિદેશ અને ગુજરાતમાં આપણે દેવી-દેવતાઓના મંદિરો અને તેના મહાત્મ્ય વિશે સાંભળ્યુ અને અનુભવ્યું હશે, પરંતુ ભૂતનું મંદિર કે તેના મહાત્મ્ય કયાંય સાંભળ્યું નહિ હોય. ગુજરાતમાં અનોખું એવું ભૂતનું મંદિર અરવલ્લી જિલ્લામાં આવ્યું છે. ખાસ વાત તો એ છે કે ભૂતના આ મંદિરમાં લોકોની પણ ખાસ આસ્થા જોવા મળે છે અને ભગવાનની જેમ તેને થાળ તથા નૈવેદ્ય પણ ધરાવે છે.

અહીં વાત કરવામાં આવી છે રાજ્યના અરવલ્લી જિલ્લાની. જ્યા આવેલું છે એક અનોખું મંદિર. જીહાં અહીં ભૂતનું મંદિર આવેલું છે અને લોકો નિયમિત તેની પુજા કરવા માટે આવે છે. આ જગ્યા મોડાસાથી 12 કિ.મીના અંતરે આવેલા લીંભોઈ ગામના છેવાડે ખેતરોની વચ્ચે ભૂતનું મંદિર સ્થાપિત કરવામાં આવેલું છે. આ મંદિર બાબરા ભૂતનું મંદિર છે જેને બાબરીયા વિરના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરના મહાત્મ્યની વાત કરીએ તો વર્ષો પહેલા ખેતરના શેઢે આવેલા સાગના વૃક્ષની નીચે બાબરા ભૂતનો વાસો હતો. આ વિસ્તારમાંથી નીકળતા ખેડૂતો અને રાહદારીઓ પણ ધોળા દિવસે ડરતા હતા, પરંતુ જે તે વખતે વડીલો એ સાગના વૃક્ષ નીચે બિરાજમાન બાબરા ભૂતની પૂજા-અર્ચના કરી તેઓની વિધિ વિધાન પૂર્વકની આરાધના કરી હતી.

બાબરીયા વિરમાં અતૂટ શ્રધ્ધા ધરાવતા આસ્થાળુઓમાં સ્થાનિકોની સાથે સાથે આસપાસના ગામડાઓના લોકોનો પણ સમાવેશ થાય છે. બાબરીયા વિરની બાધા, માનતા નિઃસંતાન દંપતીઓ, બીમાર લોકો તેમજ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગતા લોકો રાખતા હોય છે અને તેઓની આ માનતા પુરી પણ થતી હોય છે, પોતાના કામ પૂર્ણ થયા બાદ લોકો પોતાની માનતા રંગે ચંગે પૂર્ણ કરવા આવતા હોય છે.

ખેડૂતો કેમ પહેલો પાક ઘરે લઈ જવાને બદલે આ ભૂતિયા મંદિરે ધરાવે છે?
બાબરા ભૂતનું નાનું દેરું બનાવી ખેડૂતોએ નિયમ કર્યો હતો કે આ વિસ્તારમાં જે કોઈ ખેતરમાં પાક થશે તે પાકમાંથી મુઠી ભર પાક બાબરા વીરને ધરાવી પછી જ પાક ઘરે લઈ જવો. ત્યારથી આ પરંપરા ચાલુ રહી છે.અત્યારે પણ ખેડૂતો પાકનો અંશ મંદિરે ધરાવે છે. બાબરા વિરને પ્રસાદ અને નૈવેધ સ્વરૂપે સુખડી,શ્રીફળ અને સિગારેટ ધરાવવામાં આવે છે, દિવાળી અને નવરાત્રિના દિવસોમાં આ મંદિરે મોટા મેળાવડા પણ થાય છે. જેમાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ હાજર રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news