અંબાલાલ પટેલની આગાહી બાદ હવામાન વિભાગે જે કહ્યું એ જાણીને બેસી જશે તમારી છાતીના પાટિયા!

Gujarat Weather 2023: સામાન્ય રીતે ગુજરાતીઓની એવી માન્યતા હોય છે કે ઉત્તરાયણ અને મહાશિવરાત્રિ બાદ સામાન્ય કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર પહેરીને બહાર નીકળવા મજબૂર બન્યા છે.

અંબાલાલ પટેલની આગાહી બાદ હવામાન વિભાગે જે કહ્યું એ જાણીને બેસી જશે તમારી છાતીના પાટિયા!

Gujarat Weather 2023: હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છેકે, હવામાન વિભાગ વૈજ્ઞાનિક વીજીન લાલે જણાવ્યું છેકે, આગામી 3 દિવસ બાદ ઠંડી વધવાની સંભાવના છે. જે પ્રમાણે વેધર ચેન્જ થઈ રહ્યું છે એ મુજબ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઘટશે. હાલ લોકોએ બેવડી ઋતુનો અનુભવ કરવો પડી રહ્યો છે. કારણકે, દિવસ દરમિયાન ગરમી અને બફારો લાગે છે. જ્યારે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે. ઉત્તરીય પવન ફૂંકાવાના કારણે તાપમાનનો પારો ગગડશે. હાલ સવારે 13-14 ડિગ્રી જ્યારે બપોરે 33-34 ડિગ્રી તાપમાન છે.

શું કહે છે હવામાન વિભાગની આગાહી-
હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રવાસીઓને કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. ચાલું સિઝનમાં ત્રણ-ત્રણ ઋતુનો અનુભવ થયો છે. ભરશિયાળે ચોમાસા બાદ હવે ગરમીમાં અકળાવાનો વારો આવ્યો છે. 13મી ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન વધવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં ફેબ્રુઆરી તારીખ 13થી મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. 20થી 25 ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી તારીખ 27, 28માં પણ હવમાનમાં પલટો આવશે. માર્ચ તારીખ 4થી ગરમી વધશે તો 12, 13 માર્ચમાં હવામાન પલટાય એવી આગાહી કરવામાં આવી છે.

સામાન્ય રીતે ગુજરાતીઓની એવી માન્યતા હોય છે કે ઉત્તરાયણ અને મહાશિવરાત્રિ બાદ સામાન્ય કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર પહેરીને બહાર નીકળવા મજબૂર બન્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 5 દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. સવારે ઠંડી અને બપોરે ગરમી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ બેવડી ઋતુનો અહેસાસ થશે. અમદાવાદ-ગાંધીનગરમાં 15થી 20 ડિગ્રી તાપમાન રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે બેવડી ઋતુ રહેશે. ભર શિયાળે ઉનાળાનો લોકોએ સામનો કરવો પડશે. ભર શિયાળે ઉનાળાનો રાજ્યના લોકોએ સામનો કરવો પડશે. કચ્છ નલિયામાં 10 ડિગ્રી સુધી તાપમાન રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બેવડી ઋતુનો વર્તારો રહેશે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમી રહેશે.

શું કહે છે અંબાલાલની ઉનાળા અંગેની આગાહી-
પરંતુ જો તમે વિચારતા હશો કે, હવે ઉનાળો સારો જાય તો સારું, તો તમે ખોટા છે. કારણ કે આ વર્ષે  ઉનાળો આકરો બની રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ કડકડતી ઠંડી બાદ હવે ઉનાળાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, 2023 નો ઉનાળો આકરો બની રહેશે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 19-20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન  એ સમયે 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news